Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- STD-1 & 2: Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
- Viral and Trending Videos on Social Media Platforms_The Most Popular Viral Video Collection
- GSEB:HSC(STD-12)-2023 Board General Stream Result Declared
- Sustainable Shipping: Green Initiatives in the US Logistics Industry
- Happy news for electric two wheelers: Government announces 12,000 assistance to students who buy electric two wheelers.
- The Future of Freight Forwarding: Technology and Trends
- Kutch Tour: A trip to Kutch Ranotsav Worldclass Heritage and Kala Dungar (The Black Hill)
3/27/15
3/23/15
Balmelo - 2015 / બાળમેળો - ૨૦૧૫

- બાળમેળો - ૨૦૧૫ યોજવા માટે પરિપત્ર ( PDF ) ડાઉનલોડ કરો..
- બાળમેળા માટેનું મોડ્યુલ ( PDF ) ડાઉનલોડ કરો..
- બાળમેળામાં ખરીદી શકાય તેવા મટેરિયલની યાદી લીસ્ટ ડાઉનલોડ કરો..
- બાળમેળામાં કરાવી શકાય તેવીપ્રવૃતિઓની વિગત ડાઉનલોડ કરો..
- બાળમેળાનું મોનીટરીંગ પત્રક -૧ ડાઉનલોડ કરો..
- બાળમેળાનું મોનીટરીંગ પત્રક -૨ ડાઉનલોડ કરો..
- બાળમેળામાં કરાતી પ્રવૃતિઓના હેતુઓ ડાઉનલોડ કરો..
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
3/9/15
જનરલ નોલેજ - સામાન્ય વિજ્ઞાન

◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- એફ.ડબ્લ્યુ એસ્ટન
◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- જોહાન વિલ્હેમ રિટર- 1801
◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
- સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
- "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
- વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
- કુલ :213
◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
- સ્કંધમેખલામાં : 04,
- નિતંબમેખલા:02,
- કાનમાં :03
- (બંને કાનમાં :06 ),
- તાળવામાં:01
◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
- ઘૂંટણનો સાંધો :01,
- ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
- ઘૂંટીના હાડકા :07,
- પગના તળિયાના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
- કોણીથી કાંડા સુધી :02,
- કાંડાના હાડકા :08,
- હથેળીના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
- 33 મણકા
◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
- પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
- માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
- 23 કલાક અને 56 મિનીટ લાગે છે.
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
- પ્લૂટોને (248 વર્ષ)
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
- બુધને (88 દિવસ)
◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
- સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
- સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
- નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
- 160 -170 km
◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
- 11-12 ઈંચ
◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
- પદાર્થના દળમાં
◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
- ભૂરો
◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
- મિથેન વાયુ
◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
- 60* સે.
◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
- વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર
◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
- ભૌતિક વિજ્ઞાન
◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
- પાણીમાં
◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
- શ્રીનિવાસ રામાનુજન
◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
- ચામડી
◆ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
- જે.એચ.ટસેલ
◆ એક્સરે ખરેખર શું ચીજ છે ?
- વીજ ચુંબકીય તરંગો
◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
- લાલ , લીલો , વાદળી
◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
- પિતાના રંગસૂત્ર
◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
- સિલિકોનમાંથી
◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
- કાચનું પાત્ર
◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
- સિલિકોન
◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
- 346 મી /સેકંડ
◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે
- કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .
◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
- બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
- રેનિન
◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
- કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
- ત્વચા
◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
- કાર્બન ડાયોકસાઇડ
◆ હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
- ઇ.સ. 1962
◆ રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
- પીચ બ્લેંડી
◆ વિટામીન B12 નું બીજું નામ શું છે ?
- સાઈનોકોબાલેમીન
◆ હાડકાની રાખમાં શું હોય છે ?
- કેલ્શિયમ ફોસ્ફેટ
◆ 49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
- 7.38 %
◆ પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
- તેની ઘનતામાં ઘટાડો થાય છે.
◆ કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
- સલ્ફર
◆ લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
- વિટામીન -A
◆ ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
- ડૉ.સી.વી.રામન
◆ 54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
- એન્ટાર્કટિકા
◆ લોજિક બોંબ શું છે ?
- કોમ્પ્યુટર વાઇરસ
◆ કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
- ચેતાતંત્ર પર
◆ લવિંગ શામાંથી મળે છે ?
- ફૂલની કાળી માંથી
◆ લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?
- મુત્રપિંડ (કિડની )
◆ ડાઇન એ શાનો એકમ છે ?
- બળનો એકમ
◆ ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
- સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
◆ મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
- પિતાશયમાં
◆ કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?
- લાલ રંગની
◆ સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
- અલ્ટ્રાવાયેલેટ કિરણ
( સંકલિત )
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
3/7/15
ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું ?

હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે.
➜ મિત્રો... તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ છે.
તો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપ
પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે.
2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે.
3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી
3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી
4) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો
5) નિચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો.
6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી
8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
9) APPLICATION NO લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.
10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે
10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે
- ફોર્મ ની કોપી લિવિંગ સર્ટિ
- પાસપોર્ટ સાઇજ ના બે ફોટા
- ટાઇમ બૂક કરેલો લેટર
- રાશન કાર્ડ ની જેરોક્ષ
- આધાર કાર્ડ ની જેરોક્ષ
11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેસે.
12) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રાય દેવાની.
13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી.
14) http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો.
12) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રાય દેવાની.
13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી.
14) http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો.
LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.
15) L L NO નાખો પછી BIRTH DATE
પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નો અને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નકર વારો બહુ મોડો આવસે.
15) L L NO નાખો પછી BIRTH DATE
પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નો અને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નકર વારો બહુ મોડો આવસે.
16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને
RTO ની બાજુ માથી ફોર્મ નં 4 લઇ લેજો ૨ રુ નુ આવશે.
17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે.
18) ફૈલ થાવ તો અઢ્વાડીયા પછી.
17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે.
18) ફૈલ થાવ તો અઢ્વાડીયા પછી.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
3/4/15
સ્વાઇન ફ્લૂનો ઘરેલું ઇલાજ

➜ સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે. તેવામાં જો આપને ઘરગથ્થુ ઉપાય મળી જાય તેનાંથી છુટારો મળવવાનો તો પછી પુછવું જ શું. ચાલો તો આજે આપણે વાત કરીએ દરેક ઘરમાં જોવા મળતાં તુલસીનાં છોડ વિશે. જે કોઇપણ પ્રકારનાં રોગ સામે પ્રતિકાર આપવા સક્ષમ છે.
➜ ❂ ચાલો તો નજર કરીએ તુલસીના વિવિધ ઉપયોગો પર –
1. તુલસીના રસમાં ખાંડેલી મોરસ મેળવીને પીવાથી છાતીના દુઃખાવામાં તેમજ ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
2. ચાર-પાંચ શેકેલા લવિંગની સાથે તુલસીના પાન ચૂસવાથી બધા પ્રકારનીખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
3. આ ઉપરાંત રોજ સવારે તુલસીના પાંચ પાન ચાવીને ખાવાથી કોઇપણ પ્રકારની બીમારીથી દૂર રહેવાય છે.
જો વ્યક્તિને વઇ ચઢતી હોય તો તુલસીના રસમાં થોડા પ્રમાણમાં મીઠું ભેળવીને બેભાન વ્યક્તિના નાકમાં રેડવાથી તે તરત જ ભાનમાં આવી જાય છે.
5. ચા બનાવતી વેળા, ચામાં તુલસીના થોડા પાન નાંખીને ઉકાળવામાં આવે તો તેનાથી શરદી, તાવ અને માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.
6. 10 ગામ તુલસીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી હેડકી તથા અસ્થમાના રોગીને સાજો કરી શકાય છે.
7. તુલસીના કવાથમાં થોડું સીંધવ મીઠું તથા પીસાયેલી સૂંઠને મેળવીને સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
8. બપોરે ભોજન સાથે તુલસીના થોડા પાન ચાવવાથી પાચનશક્તિ સુધરે છે.
9. 10 ગામ તુલસીના રસમાં પ ગામ મધ તથા પ ગામ પીસેલી કાળીમરીનું સેવન કરવાથી પાચનશક્તિની નબળાઈ દૂર થાય છે
10. અશુદ્ધ કે દૂષિત પાણીમાં તુલસીના થોડાક પાન નાંખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.
11. તુલસીના પાનને લીંબુના રસની સાથે પીસીને પેસ્ટ (મલમ) બનાવીને લગાવવાથી ચામડીના કોઇપણ પ્રકારનાં રોગોથી આઝાદી કે છૂટકારો મેળવી શકાય છે.
12. તુલસી લોહીમાં ચરબીના પ્રમાણને નિયંત્રિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ શરીરના વજનને નિયંત્રણ હેઠળ રાખવા માટે પણ તે અત્યંત લાભદાયક તેમજ ગુણકારી ઔષધ છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી મેદસ્વી, વજન ધરાવનાર વ્યક્તિનું વજન ઘટી જાય છે તેમજ જો વ્યક્તિ પાતળી હોય તો તેનું વજન વધે છે. મતલબ કે તુલસી શરીરનું વજન આનુપાતિક રૂપથી નિયંત્રણ કરે
( સંકલિત )
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
3/3/15
Happy "HOLI" હોળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
◆◆ HAPPY HOLI ◆◆

હોળીની ખુબ ખુબ શુભેચ્છાઓ....
❂❂ હોળીનું મહત્વ. ❂❂
➜ હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવતો તહેવાર છે., જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત,નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
➜ આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,
➜ હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
➜ ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
"રંગ બરસે ભિગે ચુનરવા..."
"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
"રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
"કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ
➜ પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.
➜ હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
➜ આ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
➜ આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.
મિત્રો.... હોળી ... અનિષ્ટ પર ઇષ્ટના વિજય માટે ઉજવાતું આ પર્વ ઠંડી -ગરમીના સંધિકાળમાં આવે છે કે એ વખતે શરીર અને વાતાવરણમાં જીવાણુઓનું પ્રમાણ વધુ હોય છે.
➜ સ્વાઇ ફ્લૂ રોગ તેનું તાદૃશ ઉદાહરણ છે. હોલિકાદહનમાં વપરાતાં છાણાં અને અન્ય લાકડાં અને ઊંચા તાપમાનને કારણે વાતાવરણમાંથી જોખમી જંતુઓનો નાશ થાય છે. હોળી રમવા પાછળનું મૂળ કારણ જેને રંગ લગાવવામાં આવે છે, તે મિત્રો-સ્વજનોનું સારું ઇચ્છવાની અને તેને શુભકામનાઓ આપવાનું પણ છે.
➜ મિલાવટ વિનાના કુદરતી રંગો વડે હોળી ખેલવી જોઈએ. રંગોની શરીર અને મન પર અસર થતી હોય છે. ચામડીનાં છિદ્રો મારફતે એ શરીરમાં જતાં આરોગ્ય અને સૌંદર્ય વધે છે. કૃત્રિમ રંગોથી હોળી ન રમવી જોઇએ. સારી જાતના ગુલાલ-અબિલ અને કુદરતી રંગો વડે ખેલાતી હોળી આરોગ્ય જાળવે છે અને સાચો આનંદ આપે છે.
હોળી-ધૂળેટીએ થતા નાચગાન, હસીમજાક અને તોફાનમસ્તી એની નિર્ધારિત મર્યાદામાં હોય તો વૈજ્ઞાનિક રીતે એ ફાયદાકારક હોવાનું પણ તારણ છે. વસંત ઋતુમાં આળસ અને ઊંઘ પણ વધુ આવે છે.હોળીનાં હુડદંગ આળસને નસાડવાનું લોકમાધ્યમ છે.
➜ રંગો જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે. દરેક રંગને એની પ્રકૃતિ હોય છે. દરેક રંગનું હોળી ખેલવામાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં આગવું મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ ઊર્જા અને અગ્નિનું પ્રતીક છે. હોળી ખેલતાં એને ગાલ પર લગાવવો જોઇએ, જેને લીધે સામેનાની વધુ પ્રગતિ થાય છે. ઘરમાં દક્ષિણ દિશામાં રાખેલી કોઇ વસ્તુના આગળના ભાગને લાલ રંગથી રંગવાથી ઘરમાં સુખશાંતિ રહે છે.
➜ ઓરેન્જ કે નારંગી રંગ અભિમાન, મહત્વકાંક્ષા અને ગતિનું પ્રતીક છે. હોળી રમતાં તેને પણ ગાલ કે ગળા પર લગાવવો જોઇએ. જિંદગીમાં કંઇક હાંસલ કરવાની ઇચ્છા હોય તેમણે ઘરના બેડરૂમની દક્ષિણ બાજુની દીવાલ ઓરેન્જ રંગથી રંગાવવી જોઇએ. રસોડા અને મંદિર-પૂજાઘરમાં પણ તેનો ઉપયોગ થઇ શકે.
➜ પીળો રંગ ઉજાસ અને જ્ઞાનનું પ્રતીક છે. હોળી ખેલતી વેળા સામેની વ્યક્તિના હાથ પર એ લગાવવો જોઇએ. ભણતર, અભ્યાસ અને એકાગ્રતા માટે એ ઉપયોગી છે. પીળો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે.લક્ષ્મીજીને આ રંગ ખૂબ પ્રિય હોય છે. પર્સ-પાકિટમાં પીળા રંગનો કોઇ કિમતી પથ્થર રાખવો પણ ફાયદાકારક રહે છે.
➜ લીલા રંગનો પણ હોળીમાં છૂટથી ઉપયોગ થાય છે. આ રંગ શરીરના ગમે તે ભાગ પર લગાવી શકાય છે. કુદરત, ઉર્વરતા, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જાની વૃદ્ધિનું તે પ્રતીક છે. હાઇબ્લડ પ્રેસરની માટે પણ લીલા રંગને સારો મનાય છે. આથી તે હોળી ખેલતાં સામેનાના હૈયે લગાડાય છે. બેડરૂમના પૂર્વ ભાગમાં લીલી દીવાલ રાખવાથી પતિપત્ની વચ્ચે સારો મેળ રહે છે.
➜ ભૂરો રંગ આકાશ અને પાણીને રંગ છે. હોળી ખેલતી વખતે કપાળ પર, પીઠ પર અને કાનપટ્ટીની બાજુમાં તે લગાવવો જોઇએ. ભૂરો રંગ પૌરુષનું પણ પ્રતીક છે. બાળકોના બેડરૂમમાં આ રંગ લગાવાય છે. વળી તે ઓછપ અને નિમ્નતાનો રંગ હોવાથી રસોડું, હોટલ, રેસ્ટોરન્ટ કે ઓફિસમાં તે ન લગાવવો જોઇએ.પશ્ચિમ દિશામાં ભૂરા રંગનો ઉપયોગ સારો મનાય છે.
➜ કાળો રંગ મોટે ભાગે માથા પર જ લગાવવો જોઇએ, પરંતુ ગાલ પર વધુ લગાવાય છે. ગુલાબી રંગ સપનાંનું પ્રતીક છે, એટલે એને કપાળ પર લગાવવો જોઇએ, પણ ગાલ પર વધુ લગાવાય છે. બેડરૂમની દીવાલો ગુલાબી રાખવી, જેથી દામ્પત્યજીવન પણ ગુલાબી જાય. સફેદ રંગ કપાળ પર લગાવવો જોઇએ.
➜ હોળી-ધૂળેટી વખતે ખવાતા ધાણી-ચણા-ખજૂર એ ઋતુમાં થતા કફના નિવારણ માટે હોય છે. ફાગણી પૂર્ણિમાએ હોળી પ્રગટે, ત્યારે તેની જ્વાળાઓની દિશાના આધારે ઋતુઓની અને ખાસ તો ચોમાસાની આગાહી કરવાની પણ આપણી જૂની પ્રથા છે. હોળીના પર્વની ગરિમા જળવાય એ રીતે એને રમવી જોઇએ.
( સંકલિત )
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
3/1/15
આપ આપની માહિતી અમારી સાઈટ પર મુકી શકો છો.

Subscribe to:
Posts (Atom)