JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label INDIA TOUR. Show all posts
Showing posts with label INDIA TOUR. Show all posts

3/4/23

Gujarat Travel: Shialbet Introduction | This unique creation of nature is Shialbet Island

Gujarat Travel: Shialbet Introduction | This unique creation of nature is Shialbet Island
Shialbet-Gujarat


ગુજરાત પ્રવાસ: શિયાળબેટ પરિચય | કુદરતની આ અનોખી રચના એટલે શિયાળબેટ ટાપુ


A unique creation of nature, the beautiful place of Gujarat is Shialbet(કુદરતની અનોખી રચના ગુજરાતનું સુંદર સ્થળ એટલે શિયાળબેટ) :
This unique creation of nature in Amreli district on the southwest coast of Gujarat is the Shialbet Island. Shialbet is a very beautiful place. Dear Readers... In this article we will talk about this unique island Shialbet located in Amreli district on the southwest coast of Gujarat. We will get historical and geographical information of Shialbet Island. So let's go guys...

Shialbet Island, south of Pipavav Port and 25 nautical miles from Jafarabad, has no air or land transport facilities due to its natural and geographical adversities. Apart from 4 months of monsoon, the remaining 8 months are spent by this community as seafarers in Jaffrabad and surrounding coastal areas. Spread over 98 hectares, Shialbet is surrounded by the Arabian Sea on all sides. With a population of about 5000 people, this is an area of Gujarat. The literacy rate in Shialbet is - 31.02% and the caste ratio is - 911.  that can only be reached by boat or sea route. This foxbat has an illustrious history.


Map of Shialbet(શિયાળબેટનો નકશો) :


Historical information related to the Shialbet(શિયાળબેટ સાથે જોડાયેલી ઈતિહાસ જાણકારી) :
This Shialbet is the town known as Sinhaladwip in ancient times. Presently there is an island in Jafarabad taluka of Amreli district. Shialbet village has its own unique and rich history. This village, the capital of the Chavda clan, is only 5 km from Pipavav port. It is far away. Shialbet is well known for its pristine, ancient and religious sites. There are many religious places including Thanwav, Chelaiyano Khandanio, Bhenslapir, Sawai Pir, Ramji Temple, Dargah at Shialbet.

         Shialbet Island has a very bright history. In ancient times, this city named Sinhaladwip was ruled by King Kanaksingh. This king had a very beautiful and intelligent daughter. He is very proud of being beautiful and intelligent. She insisted on marrying only the prince who answered her questions full of thirty-two traits and intelligence. But the condition was that whoever could not answer the princess's questions would be imprisoned.

          Those princes who gave wrong answers to the princess's questions were taken captive and sent to jail. As such, he imprisoned as many as 999 princes. It is said that these captive princes had dug out numerous pits, the remains of which are still seen in Shialbet. In one such incident Veer Ebhalwala, the lord of Taldhwaj (present-day Talaja city), fought to free his nephew and King Ra'kawat of Junagadh from captivity from this place. In which Ebhalwala freed his nephew and killed the king and princess.

There is a fresh water spring on the coast of Shialbet Island. Even though the brackish water of the ocean tides is regurgitated on it, the water of this spring remains salty, a charisma of nature. This spring is known as "Guptaganga". When it came to Vav, I remembered that there is a Thanaki Vav (well) and Vav (well) here in Shialbet. There is a folk belief about this vav that women who are not able to breastfeed their babies (no milk coming in), if they take off their underwear and dip in this thanaki vav, their problem will be solved.

There is an ancient lake called Gangatalav in Shialbet. The ancient cave of Guru Gorakhnath is located here. It is said that Guru Gorakhnath came to this place in Shialbet and did sadhana with bangles tied to Rukshmaniji. This place has a narrow entrance where you can sit down.

Apart from this, there are also temples of Ganapati and Hanumanji here. Ancient Jain idols of Neminath and Parshvanatha are also located here. Chelaiya's Khandaniyo is located near the Ganges lake. It is said that Seth Sagalsha and Changavati Shethani buried their son Chelaiyya in this Khandania. Devoted to the Lord who came to judge his devotion.




The story of Seth Sagalsha and Changavati's Chelaiya connected with the Shialbet(શિયાળબેટ સાથે જોડાયેલ શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાની કથા) :
The story of Seth Sagaalsha and Changavati's chelaiya is something like this... Once, due to Lakshmiji's insistence, Lord Krishna himself came to the village priest in the guise of a bloodthirsty monk to test the devotion of Seth Sagaalsha and Changavati Shethani. Only then treat food. The time was also monsoon. Due to heavy rain for three or four days, no Brahmin monks were found. Then someone came and told Seth about this leper monk.

Seth Sagalsha himself brought them home in a basket. He was welcomed. Beautiful cooking was prepared from Bhava. When Sethani came with a plate, the monk hit the plate and said, "We do not eat kheer rotli, we do not eat food, Majan people, we eat meat," said Kirtar. "

Meat is considered sinful there for religious devotees. But if the guest goes hungry, he will break his support. Finally Seth himself immediately went secretly to the butcher and brought the meat. Shethani served the platter to Sadhu Maharaj after cooking the meat without any sense of guilt in his mind.


But the monk did not heal the plate and spoke angrily, "We are the soil of man, but we do not love the soil, we have to live in the Aghor Panth, the edge of the game." "

Seth - Sethani was stunned to hear this. Thinking that he is getting a real test, finally he had to 'yes' to bring human flesh too. But again there was a concern that if we feed our own meat to a guest, who will make a monk? And no one else is willing to die. Finally it is decided to kill one of his own sons – Chelaiya. It was God Himself in the guise of a blood-drinking monk who came to take the Seth-Shethani test. So Chelaiyya was also intimidated. But Chelai, the son of noble parents, did not waver.

Ultano says ” Bhagu to mari bhomka laje, bhoring jile na bhar. ” Finally, after killing Chelaiya, Shethani turns to the monk to cook and feed Khandi in Khandania.


Again Sadhu plays and says, "We don't eat from Vanjia's house. "

Then Changavati says that we are not Vanjia, I have a womb of seven flesh in my womb. Which I show you by opening my stomach.
And when he himself goes to stab the child in his womb, God appears.

Then he gives life to Chelaiya. God is also pleased with the devotion of Seth Sagalsha and Changavati Shethani. And asks for a boon. Then Seth Sagalsha only asks that O God, don't take the same test as you took us from now on.

This historical event which is connected with Khandania still bears witness to the history in Shialbet as Khandania of Khandaniyo – Chelaiya. You will find that Chelaiyya is also connected with Bilkha village of Junagadh district.

But after this incident, Seth - Sethani Bilkha may have gone away. The proof of this is that when you go to Bilkha, it is written as "Native of Mul Shialbet" in Sagalsha Seth's dela. can be deduced from it.


Know about the geographical introduction of fox bat(શિયાળબેટનો ભૌગોલિક પરિચય વિશે જાણીએ) :







શિયાળબેટની સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં  👇
કુદરતની અનોખી રચના ગુજરાતનું સુંદર સ્થળ એટલે શિયાળબેટ
ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે અમરેલી જિલ્લામાં આવેલી કુદરતની આ અનોખી રચના એટલે શિયાળબેટ ટાપુ. શિયાળબેટ ખૂબ જ સુંદર સ્થળ છે. વાચક મિત્રો... આ આર્ટીકલમાં આપણે ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે અમરેલી જિલ્લામાં આવેલ આ અનોખા ટાપુ શિયાળબેટની વાત કરીશું.  અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રા‍ચીન અને ઘામિઁક સ્‍થળો ૫ણ ઘણું જ જાણીતું છે. શિયાળબેટ ટાપુની ઐતિહાસિક અને ભૌગોલિક જાણકારી  મેળવીશુ.  તો ચાલો મિત્રો...

શિયાળબેટ ટાપુ પીપાવાવ પોર્ટથી દક્ષિણે અને જાફરાબાદ થી 25 નોટીકલ માઈલ દૂર શિયાળબેટ પર એની પ્રાકૃતિક અને ભૌગોલિક પ્રતિકૂળતાઓને લીધે આજે પણ હવાઈ કે  જમીનમાર્ગે વાહનવહારની કોઈજ સુવિધાઓ નથી. ચોમાસાના 4 મહિનાને બાદ કરતા બાકીના 8 મહિના આ પ્રજાસમૂહ દરિયાખેડુ તરીકે જાફરાબાદ અને આસપાસના દરિયા વિસ્તારોમાં વિતાવે છે. 98 હેક્ટરમાં ફેલાયેલ શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલ છે. 5000 જેટલી માનવવસતિવાળો ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે. શિયાળબેટ જેનું સાક્ષરતા દર - 31.02%  છે અને જાતિ પ્રમાણ - 911 છે. જ્યાં માત્ર દરીયાઈ માર્ગે હોડી કે બોટ દ્વારા જ જઈ શકાય છે. આ શિયાળબેટનો આગવો ઈતિહાસ છે.


શિયાળબેટ સાથે જોડાયેલી ઈતિહાસ જાણકારી :
પ્રાચીન સમયમાં સિંહલદ્વિપ તરીકે ઓળખાતું નગર એટલે આ શિયાળબેટ. હાલમાં અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકામાં આવેલો એક ટાપુ છે. શિયાળબેટ ગામ પોતાનો આગવો અને અનેરો ઈતિહાસ ધરાવે છે. ચાવડા વંશજોની રાજધાની રહેલું આ ગામ પીપાવાવ પોર્ટબંદરથી માત્ર 5 કિ.મી. જ દૂર આવેલું છે. શિયાળબેટ તેના નૈસર્ગિક, પ્રા‍ચીન અને ઘાર્મિક સ્‍થળો માટે ઘણો જાણીતો છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણ‍િયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર, દરગાહ સહિત અનેક ધાર્મિક સ્‍થાનો આવેલા છે.

શિયાળબેટ ટાપુ ખુબ ઉજળો ઈતિહાસ ધરાવે છે. પ્રાચીન સમયમાં આ સિંહલદ્વિપ નામની નગરીમાં રાજા કનકસિંહનું શાસન હતું. આ રાજાને ખૂબ જ સુંદર અને બુધ્ધિશાળી પુત્રી હતી. સુંદર અને બુધ્ધિશાળી હોવાનું તેને ભારે અભિમાન. બત્રીસ લક્ષણો અને બુધ્ધિચાતુર્યથી ભરેલા પોતાનાં સવાલોનાં જવાબ આપે એવા રાજકુમાર સાથે જ લગ્ન કરવાની તેની જિદ હતી. પણ શરત એ હતી કે જે રાજકુમારીનાં સવાલોનાં જવાબ ન આપી શકે એને કેદ કરવામાં આવતા.

રાજકુમારીનાં સવાલોનાં જવાબ જે કોઈ ખોટા આપતું તો તેવા રાજકુમારોને બંદી બનાવીને જેલ હવાલે કરાતા. આવા તો એમણે 999 જેટલા રાજકુમારોને કેદ કરેલા. એમ કહેવાય છે કે આ કેદી રાજકુમારો પાસે એમણે અસંખ્ય વાવો ખોદાવડાવી હતી જેમાંથી આજે પણ તેનાં અવશેષો શિયાળબેટમાં જોવા મળે છે. આવી જ એક ઘટનામાં તાલધ્વજ ( હાલનું તળાજા શહેર ) નાં ધણી વીર એભલવાળાએ તેના ભાણેજ અને જુનાગઢનાં રાજા રા’કવાટને આ સ્થળેથી બંદીવાનમાંથી છોડાવવા યુધ્ધ કરેલું. જેમાં એભલવાળાએ તેના ભાણેજને મુક્ત કરાવીને રાજા તથા રાજકુવરીનો વધ કર્યો હતો.

શિયાળબેટ ટાપુનાં દરિયાકિનારે એક એક મીઠા પાણીનું ઝરણું આવેલું છે. સમુદ્રની ભરતીનાં ખારાપાણી તેના પર ફરી વળે છે તેમ છતાં આ ઝરણાનું પાણી મીઠું જ રહે છે, આ એક કુદરતનો કરિશ્મા છે. આ ઝરણાને ‘‘ગુપ્તગંગા’’ ના નામથી ઓળખવામાં આવે છે. વાવની વાત આવી એટલે યાદ આવ્યું કે અહીં શિયાળબેટમાં એક થાનકી વાવ(કુવો) કરીને વાવ(કુવો) આવેલી છે. આ વાવ વિશે એવી લોક માન્યતા સાંભળવા મળે છે કે જે સ્ત્રીઓ પોતાનાં બાળકોને સ્તનપાન ન કરાવી શકતી હોય (દુધ ન આવવું) તેવી સ્ત્રીઓ પોતાનું ઉપવસ્ત્ર ઉતારીને આ થાનકી વાવમાં બોળે તો તેમની આ સમસ્યા દૂર થાય છે.

શિયાળબેટમાં ગંગાતળાવ નામનું પ્રાચીન તળાવ આવેલુ છે. અહી ગુરુ ગોરખનાથની પ્રાચીન ગુફા આવેલી છે. કહેવાય છે કે રૂક્ષ્મણીજીને બંગડીઓ બાંધી ગુરુ ગોરખનાથ શિયાળબેટમાં આ જગ્યાએ આવીને સાધના કરી હતી. આ જગ્યાએ બેસીને જઇ શકાય એવું સાંકડું પ્રવેશદ્વાર છે.

આ સિવાય અહીંયા ગણપતિ તેમજ હનુમાનજીના મંદિર પણ છે. જૈન ધર્મનાં નેમીનાથ તથા પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિઓ પણ અહિયાં આવેલી છે. ગંગા તળાવની પાસે જ ચેલૈયાનો ખાંડણીયો આવેલ છે. કહેવાય છે કે શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીએ પોતાનાં એકનાં એક પુત્ર ચેલૈયાને આ ખાંડણીયામાં ખાંડેલો. તેમની ભક્તિનાં પારખા કરવા આવેલા ભગવાનને જમાડેલા.




શિયાળબેટ સાથે જોડાયેલ શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાની કથા :
શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાની કથા કઈક આ મુજ છે... એક વખતે લક્ષ્મીજીની જીદના કારણે શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીની ભક્તિની પરીક્ષા લેવા કૃષ્ણ ભગવાન પોતે રક્તપીતિયા સાધુનો વેશ ધારણ કરીને ગામનાં પાદરે આવ્યા શેઠ-શેઠાણીને એવી ટેક હતી કે કોઈપણ સાધુ બ્રાહ્મણને પહેલા જમાડવા અને પછી જ ભોજન આરોગવું. સમય પણ ચોમાસાનો હતો. ત્રણ–ચાર દિવસથી ભારે વરસાદનાં કારણે કોઈ સાધુ બ્રાહ્મણ મળ્યા નહીં. ત્યારે કોઈએ આ રક્તપીતિયા સાધુ વિશે શેઠને આવીને વાત કરી.

શેઠ સગાળશા જાતે જ તેમને ટોપલામાં બેસાડીને પોતાનાં ઘરે તેડી લાવ્યા. એમનું સ્વાગત કર્યું. ભાવથી સુંદર રસોઈ તૈયાર થઈ. શેઠાણી થાળ લઈને આવ્યા ત્યારે સાધુએ થાળનો ઘા કરતા કહ્યું , ‘‘ખીર રોટલી અમે જમતા નથી, નથી અન્નનો આહાર, માજન લોકો, અમે માંસનાં આહારી, એમ બોલિયાં કિરતાર. ’’

ધર્મપરાયણ વણિકને ત્યાં માંસ તો પાપરૂપ ગણાય. પણ અતિથિ ભૂખ્યા જાય તો પોતાની ટેક ભાંગે. આખરે શેઠ પોતે તુરત જ ગુપ્ત રીતે કસાઈવાડે જઈને માંસ લઈ આવ્યા. મનમાં કોઈપણ સુગની ભાવના વગર માંસ રાંધીને શેઠાણીએ સાધુ મહારાજને થાળ પીરસ્યો.


પણ સાધુએ થાળ આરોગ્યો નહીં ને ગુસ્સાથી બોલ્યાં, “ અમે રે માટી માણસની જમીએ, પર માટી ન પ્યાર, અઘોર પંથમાં રહેવું અમારે , ખેલ ખાંડાની ધાર. ”

શેઠ – શેઠાણી તો આવું સાંભળી સ્તબ્ધ થઈ ગયા. પોતાની ખરી કસોટી થઈ રહી છે, એવું વિચારી આખરે માણસનું માંસ પણ લાવી દેવા ‘ હા ’ પડાઈ. પણ ફરીવાર મુંજવણ વધી કે જો પોતાનું માંસ અતિથિને ખવડાવીએ તો સાધુને જમાડે કોણ ? અને બીજું કોઈ મરવા માટે તૈયાર થાય નહીં. છેવટે પોતાનાં એકનાં એક પુત્ર – ચેલૈયાને મારવાનો નિર્ણય થાય છે. શેઠ – શેઠાણીની પરીક્ષા લેવા આવેલા રક્તપીતિયા સાધુનાં વેશમાં તો ખુદ ઈશ્વર જ હતા. તેથી ચેલૈયાને પણ ડરાવવામાં આવ્યો. પણ ચેલૈયો ખાનદાન માતાપિતાનો પુત્ર ડગ્યો નહીં.

ઉલ્ટાનો કહે છે ” ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર. ” આખરે ચેલૈયાને મારીને ખાંડણીયામાં ખાંડીને રાંધીને ખવડાવવા શેઠાણી સાધુ તરફ થાળ ધરે છે.


ફરી સાધુ નાટક કરે છે ને કહે છે , ‘‘ અમે વાંજિયાનાં ઘરનું ખાતા નથી. ’’

ત્યારે ચંગાવતી કહે છે કે અમે વાંજિયા નથી, મારા ઉદરમાં સાત માંસનો ગર્ભ છે. જે હુ મારુ પેટ ચીરીને આપને બતાવું છુ.
અને પોતે પોતાના ઉદરમાં રહેલા બાળક પર કટારનો ઘા કરવા જાય છે ત્યારે ઈશ્વર પ્રગટ થાય છે.

પછી તો ચેલૈયાને જીવનદાન આપે છે. શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીની ભક્તિથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. અને વરદાન માંગવાનું કહે છે. ત્યારે શેઠ સગાળશા એટલું જ માંગે છે કે હે ભગવાન તમે જેવી કસોટી અમારી લીધી એવી કસોટી હવે પછી બિજા કોઇની ન લેશો.”

આ ઐતિહાસિક ઘટના જે ખાંડણિયા સાથે જોડાયેલ છે તે ખાંડણિયો – ચેલૈયાનાં ખાંડણિયા તરીકે શિયાળબેટમાં આજે પણ ઈતિહાસની સાક્ષી પૂરે છે. તમને થશે કે ચેલૈયાની વાત તો જુનાગઢ જિલ્લાનાં બિલખા ગામ સાથે પણ જોડાયેલી છે.

પરંતુ આ ઘટના બન્યા પછી શેઠ – શેઠાણી બિલખા જતા રહ્યા હોય એવું બની શકે. એનો પુરાવો તમે જ્યારે બિલખા જાવ ત્યારે ત્યાં સગાળશા શેઠનાં ડેલામાં ‘‘ મુળ શિયાળબેટનાં વતની ’’ એવું લખાયેલું છે. તેના પરથી તારવી શકાય.


શિયાળબેટનો ભૌગોલિક પરિચય વિશે જાણીએ) :
શિયાળબેટ જાફરાબાદ અને રાજુલા તાલુકામાં દરિયાઇ વિસ્‍તાર આવેલ હોવાને કારણે માછીમારી અને મીઠાના ઉત્‍પાદન મેળવી શકાય છે. સાગરકાંઠા મંડળ વિસ્‍તારમાં દરિયાઇ પાણી ફરી વળતા કુદરતી રીતે જ મીઠું પાકે છે. આ વિસ્‍તારમાં પાકતા મીઠામાંથી સુરોખાર, સોડા અને સોડિયમ સલ્‍ફેટ બને છે. જાફરાબાદ તાલુકામાં બાબરકોટ, શિયાળ બેટ અને જાફરાબાદમાં મત્‍સ્‍યોદ્યોગનો ઝડપથી વિકાસ પામ્યો છે.

જાફરાબાદ વિસ્‍તારમાં બૂમલા નામની માછલી મોટા પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત જીંગા, ધોલ, દારા, મેદલી, બગા પાટાપાટી અને ખાગા નામની માછલીની મુખ્‍ય જાતો જોવા મળે છે. ઓક્ટોબર થી જાન્‍યુઆરીના સમયગાળા દરમિયાન સારા એવા પ્રમાણમાં આ માછલીઓ મળી રહે છે. આથી બહારના માછીમારો પણ અહીં માછીમારી કરવા આવે છે. આ માછલીઓને ત્‍યાં જ સૂકવીને મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ અને શ્રીલંકા ખાતે નિકાસ કરવામાં આવે છે. આથી જ વ્‍પાપાર અને આર્થિક પાસાથી વિચારીએ તો અહીં માછલીની પ્રક્રિયા સંબંધિત ફીશીંગ પ્‍લાન્‍ટ, શીતાગાર, બરફના કારખાના, ફીશમીલ, નાયલોનના દોરડા, દરિયાઇ એન્જિન રીપેરીંગના કામકાજની તકો પણ વધુ છે. માછીમારીની પ્રવૃત્તિ સાથે મુખ્‍યત્‍વે કોળી, ખારવા, ખલાસી, ટંડેલ અને નાવિકો સંકળાયેલ છે. તેઓ રણછોડરાય, મેલડી, વહાણવટી, શિકોતર, મોમાઇ, કાળકા, ભવાની, આશાપુરા દેવ-દેવીઓને અને પીરને પૂજે છે.


We hope this article has given you complete information about Jackalbet Island..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on March 04, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above. 





Your feedback is required.
Read More »

12/30/22

Kankaria Lake: Watch Kankaria Carnival Ahmedabad-2022 | Fair of Kankaria.

Kankaria Lake: Watch Kankaria Carnival Ahmedabad-2022 | Fair of Kankaria.
Kankaria Carnival
Kankaria Carnival

કાંકરિયા તળાવ: કાંકરિયા કાર્નિવલ અમદાવાદ-2022 નિહાળો | કાંકરીયાનો મેળો. કાંકરીયાનો મેળો નિહાળવોએ એક લહાવો છે.

⇛  Kankaria lake Ahmedabad :
Kankaria lake is the largest lake in Ahmedabad city. Let's know a little about Kankaria Lake in this post. Kankaria Lake is located in Maninagar area in the southern part of Ahmedabad city. Kankaria Lake, the heart of Ahmedabad, is a tourist attraction with many sightseeing and dining options. The circumference of this Kankaria lake is about 2.5 km. In the middle of the Kankaria lake is a garden called Nagina Wadi (the word Nagina means beautiful in Urdu). It has an entrance from one end of the lake which leads to the middle of the lake. Every day of the year, for twelve months, people can be seen roaming here from dusk till late night.

The Kankaria Lake premises houses the Ambubhai Purani Gymnasium, a zoo, a beautiful aquarium and a playground for children. Every year Kankaria Carnival is celebrated colorfully from 25th to 31st December. Cultural and social activities are organized in this weekly programme.

Also, there are playgrounds and amusement rides. There are several small lakes that also allow for boating. Bird lovers can also catch a glimpse of several different species of migratory birds here. Children of all ages can play any sport in the spacious grounds available here while the elderly can go for a walk in the various parks or even join one of the yoga centers.


⇛ Renovation of Kankaria Lake :
It is said that Kankaria lake is very mythical. According to information, the Kankaria lake was built in the 15th century by Sultan Qutubuddin Ahmadshah, another emperor. The construction of which was completed around 1451. And the Kankaria Lake at that time was known as "Qutub-Hauj" and "Hauj-e-Qutub".
Finally Rs. The inauguration ceremony of Kankaria Lake, renovated at a cost of 30 crores, was held on 25th December 2008. A week-long event called Kankaria Carnival was held to mark the official inauguration of Kankaria Lake. Which was the first of its kind. It was organized by the Ahmedabad Municipal Corporation. Since then Kankaria Carnival is organized grandly every year from 25th to 31st December. Watching the Kankaria Carnival is also a treat. Also, along with the renovation of the Kankaria Lake, the central garden and walkway were also renovated and their amenities were enhanced.





⇛  કાંકરિયા તળાવ અમદાવાદ :
   કાંકરિયા તળાવ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. ચાલો આ પોસ્ટમાં કાંકરિયા તળાવ વિશે થોડું જાણીએ. અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણિનગર વિસ્તારમાં કાંકરિયા તળાવ આવેલું છે. અમદાવાદનું હાર્દ, કાંકરિયા તળાવ, ઘણા જોવાલાયક સ્થળો અને જમવાના વિકલ્પો સાથે પ્રવાસીઓનું આકર્ષણ છે. આ કાંકરિયા તળાવનો પરિઘ 2.5 કિમી જેટલો છે. કાંકરિયા તળાવની મધ્યમાં નગીના વાડી (ઉર્દૂમાં નગીના શબ્દનો અર્થ સુંદર થાય છે) નામનો બગીચો છે. તેમાં તળાવના એક છેડેથી પ્રવેશદ્વાર છે જે તળાવની મધ્યમાં જાય છે. વર્ષના દરેક દિવસે, બાર મહિના સુધી અહીં સાંજથી મોડી રાત સુધી લોકો ફરતા જોવા મળે છે.

કાંકરિયા તળાવ પરિસરમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, પ્રાણી સંગ્રહાલય, સુંદર માછલીઘર અને બાળકો માટે રમતનું મેદાન છે. દર વર્ષે કાંકરિયા કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર સુધી રંગીન રીતે ઉજવવામાં આવે છે. આ સાપ્તાહિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

ઉપરાંત અહીંયા રમતના મેદાન અને રમતની સવારીનો સમાવેશ પણ થાય છે. ત્યાં ઘણા નાના તળાવો છે જેમાં બોટિંગ માટેની પરવાનગી પણ આપે છે. પક્ષી પ્રેમીઓ માટે અહીં સ્થળાંતર કરતા પક્ષીઓની કેટલીક વિવિધ પ્રજાતિઓની ઝલક પણ મેળવી શકે છે. અહીં ઉપલબ્ધ વિશાળ મેદાનમાં તમામ ઉંમરના લોકો બાળકો કોઈપણ રમત રમી શકે છે જ્યારે વૃદ્ધ લોકો વિવિધ ઉદ્યાનોમાં ફરવા જઈ શકે છે અથવા તો કોઈ એક યોગ કેન્દ્રમાં જોડાઈ શકે છે.


⇛  કાંકરિયા તળાવનું નવીનીકરણ :
   કહેવાય છે કે કાંકરિયા તળાવ આમતો ખુબજ પૌરાણિક છે. એક જાણકારી મુજબ કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજા નામના બાદશાહે એ 15મી સદીમાં બંધાવેલુ છે. જેનું બાંધકામ આશરે 1451માં પૂર્ણ થયું હતું. અને જે તે સમયે કાંકરિયા તળાવ તે "કુતુબ-હૌજ" તથા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું.
છેલ્લે રૂ. 30 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ વર્ષ-2008 ના ડીસેમ્બર માસની 25 તારીખે યોજવામાં આવ્યો હતો. કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો. જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું. ત્યારથી દર વર્ષે 25 થી 31 ડીસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. કાંકરિયા કાર્નિવલ નિહાળવો એ પણ એક લ્હાવો છે. તેમજ કાંકરિયા તળાવના રીનીવેશનની સાથે  કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતું અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.

Kankaria Carnival Ahmedabad



⇛  કાંકરિયા તળાવના કેટલાક આકર્ષણો (Some attractions of Kankaria Lake) :
(1). બાલવાટિકા(Balwatika) :
   કાંકરિયા તળાવ પાસેની બાલવાટિકા તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે.જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ. બાલવાટિકામાં બોટ-હાઉસ, અરીસા-ઘર અને પ્લે હાઉસ છે. અહિયાં બાળકોને ખુબજ મજા પડે તેવું છે.

(2). કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય (Kankaria Lake Zoo) :
   કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય એ 21એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલુ છે. જે કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયથી ઓળખાય છે તેનુ નિર્માણ કાર્ય 1951માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણી સંગ્રહાલય 1974માં એશિયામાં આવેલ તમામ પ્રાણી સંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. તેમાં 2000 જેવા પક્ષી,  450 જેટલા સસ્તન, 140 આસપાસ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં સિંહ, વાઘ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ ઉપરાંત હરણો, ચિંકારા, વાંદરા,મોર, અને ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને 1974માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી 
એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

(3). કાંકરિયા કિડ્ઝ સીટી (Kankaria Kids City) :
   કાંકરિયા કિડ્ઝ સીટી નાના બાળકો માટે નિર્માણ કરાયેલ બાળવિશ્વ છે. કાંકરિયા કિડ્ઝ સીટી અંદાજે 4,240 ચોરસ મીટરમાં એરિયામાં ફેલાયેલ છે. કાંકરિયા કિડ્ઝ સીટી વિસ્તારમાં 18 પ્રવૃત્તિ કેન્દ્રો આવેલા છે. તેમાં બેંક, અગ્નિશામક હાઉસ, રેડિયો સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે.

(4). કાંકરિયા અમદાવાદ આઇ(Kankaria Ahmedabad I) I :
કાંકરિયા અમદાવાદ આઇ(I) કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બ્લુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે.

(5). કાંકરિયા અટલ એક્સપ્રેસ ટ્રેન (Kankaria Atal Express Train) :
અટલ એક્સપ્રેસ ટ્રેન - અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન કાંકરિયા બનાવવામાં આવેલ છે. જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવેલ છે. અટલ એક્સપ્રેસ ટ્રેન જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે  લંડનથી મંગાવવામાં આવી છે. હાલમાં આ અટલ એક્સપ્રેસ ટ્રેન તળાવની ફરતે 2.4 માઈલ(miles_3.9 km)ના પથ(રસ્તા) પર 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ અટલ એક્સપ્રેસ ટ્રેન કુલ 150 (36 પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ અટલ એક્સપ્રેસ ટ્રેન "સેવર્ન લેમ્બ" નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે. અટલ એક્સપ્રેસ ટ્રેન રજુ કરાયાના માત્ર 11 મહિના માંજ લગભગ 1,00,000(દસ લાખ) મુલાકાતીઓને આકર્ષ્યા હતા. અટલ એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.

(6). નગીના વાડી ટાપુ કાંકરિયા અમદાવાદ(Nagina Wadi Island Kankaria) :
નગીના વાડી ટાપુ કાંકરિયા ખુબજ લોકપ્રિય છે, જે કાંકરિયા તળાવની બરાબર મધ્યમાં આવેલું છે. તે અન્ય એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જ્યાં પ્રખ્યાત મુઘલોના રહેઠાણો અહિયાં જોવા મળી શકે છે. આ સ્થળે પહોંચવા માટે વ્યક્તિએ લગભગ અડધા તળાવ સુધીનું અંતર વચ્ચે પાર કરવું પડે છે. આ ટાપુ પર હાજર ઈમારતોનું આર્કિટેક્ચર મનમોહક અને નોંધનીય છે.


⇛  Important Links:


⇛  Some attractions of Kankaria Lake (કાંકરિયા તળાવના કેટલાક આકર્ષણો):
(1). Balwatika(બાલવાટિકા):
    Balwatika near Kankaria Lake is a children's amusement park, which was later named after Jawaharlal Nehru. Balvatika has a boat-house, a mirror-house and a play house. Children have a lot of fun here.

(2). Kankaria Lake Zoo(કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય):
    Kankaria Lake Zoo is spread over an area of 21 acres. Known as Kamala Nehru Zoo, it was constructed in 1951 by Reuben David. This zoo has been rated as the best zoo in Asia in 1974. It includes about 2000 birds, about 450 mammals, about 140 reptiles. It includes wild animals like lions, tigers, pythons, snakes, elephants, deer, chinkaras, monkeys, peacocks, and emus. Reuben David was awarded the Padma Shri in 1974 for this zoo
An award was also presented.

(3). Kankaria Kids City(કાંકરિયા કિડ્ઝ સીટી) :
    Kankaria Kids City is a children's world built for young children. Kankaria Kids City is spread over an area of approximately 4,240 square meters. There are 18 activity centers located in the Kankaria Kids City area. It includes Bank, Fire House, Radio Station, Police Station, Court House. The Ahmedabad Municipal Corporation has also acquired the design rights and patents for each of these games.

(4). Kankaria Ahmedabad I (કાંકરિયા અમદાવાદ આઇ(I) :
Kankaria Ahmedabad I(I) is the name of the blue ride built after renovation of Kankaria premises. There is also a restaurant and heritage exhibition. It is managed by the Ahmedabad Municipal Corporation.

(5). Kankaria Atal Express Train (કાંકરિયા અટલ એક્સપ્રેસ ટ્રેન):
Atal Express Train - A train named Atal Express is built in Kankaria. Which is named after the former Prime Minister of India Atal Bihari Vajpayee. Atal Express train which is called from London for children in Kankaria lake premises. At present, this Atal Express train runs at a speed of 10 kilometers per hour on a 2.4 miles (miles_3.9 km) track around the lake. This Atal Express train has a total capacity of 150 (including 36 adults) persons. This Atal Express train is manufactured by a train manufacturing company named "Severn Lamb". The Atal Express train attracted nearly 1,00,000 (ten lakh) visitors within just 11 months of its introduction. After the success of Atal Express train, another train called Swarnim Jyanti Express has also been started.

(6). Nagina Wadi Island Kankaria Ahmedabad(નગીના વાડી ટાપુ) :
Nagina Wadi Island Kankaria is very popular, located right in the middle of Kankaria lake. It is another popular tourist destination where famous Mughal residences can be found here. To reach this place one has to cross a distance of about half of the lake. The architecture of the buildings present on this island is captivating and noteworthy.



⇛  Kankaria Lake Ahmedabad Entry Fee is as follows :
  • For Adults : Rs.25 per person
  • For Children : -10 per person
  • For Senior Citizens and Children below 3 years : 0 (Free Entry).
  • For Educational Tour : Per Person - 1(Rs.)
  • Tour timings are from 4:00 am to 8:00 am. Entry is free for joggers.


⇛  Time Table of Kankaria Lake Ahmedabad :
The timings of movement during the day are as follows.
  • Monday : Closed / Holiday
  • Tuesday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm
  • Wednesday: 4:00 AM to 8:00 AM_9:00 am to 10:00 pm
  • Thursday : 4:00 AM to 8:00 AM_9:00 am to 10:00 pm
  • Friday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm
  • Saturday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm
  • Sunday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm


⇛  Contact Number for Kankaria Lake Ahmedabad :
Phone - 079 2546 3415

⇛  Kankaria Lake Ahmedabad Address :
Himmatnagar Village, Maninagar Area, Ahmedabad, Gujarat, 380022, India


⇛  Best Time To Visit Kankaria Lake Ahmedabad :
The best time to visit Kankaria Lake Ahmedabad is in the last week of December as the Kankaria Lake Carnival is held here. A laser light show and a musical fountain run in the evening. And that is why it is recommended to visit the place especially in the evening.
       Carry water bottles while visiting Kankaria Lake. Because there is still some problem of drinking water in the lakefront.


⇛  કાંકરિયા તળાવ અને તેની આસપાસના જોવાલાયક સ્થાનોનો નકશો.



⇛  How to reach Kankaria Lake Ahmedabad :
  • To reach Kankaria Lake you can go by taxi or private car via Punt Maharaj Road opposite Nelson's Primary School.
  • If you prefer to go by train, the nearest railway station to Kankaria Lake is Ahmedabad Junction Train Station. Which is located at a distance of 5 km from the tourist attraction.
  • You can also opt for a private cab from one of the top car rental companies in Ahmedabad and visit all the popular attractions in Ahmedabad in great comfort.





⇛  કાંકરિયા તળાવ અમદાવાદ પ્રવેશ ફી આ મુજબ છે :
  • પુખ્ત વયના લોકો માટે : વ્યક્તિ દીઠ-25
  • બાળકો માટે : વ્યક્તિ દીઠ -10
  • વરિષ્ઠ નાગરિકો અને 3 વર્ષથી નીચેના બાળકો માટે : 0 (મફત પ્રવેશ).
  • શૈક્ષણિક પ્રવાસ માટે : વ્યક્તિ દીઠ - 1(રૂપિયો)
  • ફરવાનો સમય સવારે 4:00 થી 8:00 સુધીનો છે. જોગર્સ માટે મફત પ્રવેશ છે.

⇛  કાંકરિયા તળાવ અમદાવાદનું સમય પત્રક :
દિવસનો દરમ્યાન ફરવાનો સમય આ મુજબનો છે.
સોમવાર : બંધ / રજા
મંગળવાર : સવારે 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી
બુધવારે : સવારે 4:00 થી 8:00 સુધી
9:00 am થી 10:00 pm સુધી
ગુરુવારે : સવારે 4:00 થી 8:00 સુધી
9:00 am થી 10:00 pm સુધી
શુક્રવાર : 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી
શનિવાર : 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી
રવિવાર : 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી


⇛  કાંકરિયા તળાવ અમદાવાદ માટે સંપર્ક નંબર :  
ફોન - 079 2546 3415

⇛  કાંકરિયા તળાવ અમદાવાદનું સરનામું :  
હિંમતનગર વિલેજ, મણિનગર એરિયા, અમદાવાદ, ગુજરાત , 380022, ભારત


⇛  કાંકરિયા તળાવ અમદાવાદ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય :
કાંકરિયા તળાવ અમદાવાદની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બેસ્ટ છે કારણ કે તે સમયે અહીંયા કાંકરિયા તળાવ કાર્નિવલ યોજાય છે. જેમાં લેસર લાઇટ શો અને મ્યુઝિકલ ફાઉન્ટેન સાંજે ચાલે છે. અને તેથીજ ખાસ સાંજના સમયે સ્થળની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.  
      કાંકરિયા તળાવનો મુલાકાત દરમ્યાન પાણીની બોટલો સાથે રાખવી. કારણ કે લેકફ્રન્ટમાં હજુ પીવાના પાણીની થોડી તકલીફ રહે છે.


⇛  કાંકરિયા તળાવ અમદાવાદ કેવી રીતે પહોંચી શકાય :
  • કાંકરિયા તળાવ સુધી પહોંચવા માટે તમે નેલ્સનની પ્રાથમિક શાળાની સામેના પંટ મહારાજ રોડ દ્વારા ટેક્સી અથવા ખાનગી કાર દ્વારા જઈ શકો છો. 
  • જો કોઈ ટ્રેન દ્વારા જવાનું પસંદ કરો છો તો કાંકરિયા તળાવનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન અમદાવાદ જંકશન ટ્રેન સ્ટેશન છે. જે પ્રવાસી આકર્ષણથી 5 કિમીના અંતરે આવેલું છે. 
  • તમે અમદાવાદની ટોચની કાર ભાડે આપતી કંપનીઓમાંથી ખાનગી કેબ પણ પસંદ કરી શકો છો અને અમદાવાદના તમામ લોકપ્રિય જોવાલાયક સ્થળોની ખૂબ આરામથી મુલાકાત લઈ શકો છો.

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on December 30, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

8/2/22

Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka

Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka
Murudeshwar Mahadev Temple


મુરુદેશ્વર મહાદેવ મંદિર: મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટકનું ધાર્મિક મહત્વ, જાણકારી તથા 3D & 360° HD View 


મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક
મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવ પ્રતિમા, કર્ણાટકની 360° વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર જુઓ અને શેર કરો.

દુનિયામાં શિવ ભગવાનનું સૌથી ઉંચું પૂતળુ (સ્ટેચ્યુ) ક્યાં આવેલું છે, તે જાણો છો? એ છે નેપાળમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું સ્ટેચ્યુ. એની ઉંચાઈ 43 મીટર છે. દુનિયાનું બીજા નંબરનું ઉંચું શિવનું સ્ટેચ્યુ ભારતના કર્ણાટક રાજ્યના મુરુડેશ્વર ગામના મુરુડેશ્વર મંદિરમાં આવેલું છે. એની ઉંચાઈ આસરે  37 મીટર(જેની ઊંચાઈ લગભગ 123 ફૂટ) છે.
Murudeshwar Mahadev Temple



⇛   મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક :
મુરુદેશ્વર, કર્ણાટક રાજ્યના ઉત્તર કનાડા જીલ્લાના ભટકલ શહેરથી 16 કી.મી. દૂર આવેલું છે.  ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. મુરુદેશ્વરને રેલ્વે સ્ટેશન છે. મુંબઈથી ગોવા થઈને મેંગલોર જતી કોંકણ રેલ્વે લાઈન પર તે આવેલું છે. મુરુદેશ્વર ગામ અરબી સમુદ્રના કિનારે છે. અહીં દરિયા કિનારે કંદુક નામની ટેકરી પર મુરુદેશ્વર મંદિર અને શીવજીનું સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. આ મંદિરની ત્રણે બાજુ દરિયો છે, એટલે આ સ્થળ બહુ જ સરસ લાગે છે.


⇛   ચાલો, અહીં આ આર્ટીકલમાં મુરુદેશ્વરના મંદિરની વિગતે વાત કરીએ.
મુરુદેશ્વર મંદિર એવા મંદિરોમાંનું એક છે જે પ્રાચીન કાળનું હોવા છતાં તદ્દન સમકાલીન લાગે છે. આ મંદિર ભગવાન શિવના એક સ્વરૂપ મુરુદેશ્વરની પૂજા માટે સમર્પિત છે. એની ઉંચાઈ 37 મીટર છે. ભારતમાં શીવજીનું આ સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. આ મંદિર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર (ગોપુરમ) તો શિવજીના સ્ટેચ્યુ કરતાં પણ ઉંચું છે. મંદિર સંકુલના પ્રવેશ પર આવેલ 20(વિસ) માળનું ગોપુરમ આશરે 237.5 ફૂટ ઊંચું છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરોને ગોપુરમ હોય છે, પણ મુરુડેશ્વરનું ગોપુરમ ખૂબ જ ભવ્ય છે. ગોપુરમ પર દેવદેવીઓનાં ચિત્રો અને કોતરણી મનમોહક છે. ગોપુરમના પ્રવેશ આગળ કોન્ક્રીટના બનેલા બે મોટા ફુલ સાઈઝના હાથી મૂકેલા છે, પ્રવાસીઓનું તે તરત જ ધ્યાન ખેંચે છે. અને તેને રાજા ગોપુરમ કહેવામાં આવે છે. એક ખાસ વાત એ છે કે ગોપુરમમાં લિફ્ટ બેસાડેલી છે, તે ગોપુરમની ટોચે લઇ જાય છે. ટોચ પરથી દેખાતું શિવજીનું સ્ટેચ્યુ અને વિશાળ દરિયાનું દ્રશ્ય બહુ જ ભવ્ય લાગે છે. મંદિરની સૌથી રોમાંચક બાબત એ છે કે ભગવાન શિવની પ્રતિમાનું મનોહર દૃશ્ય સાથે સમુદ્ર કિનારાના આકર્ષક દૃશ્યો છે. મંદિરની તળેટીમાં શ્રી રામેશ્વરને સમર્પિત મંદિર આવેલું છે. અહીં આવતા પ્રવાસીઓ શીવનું સ્ટેચ્યુ, ગોપુરમ અને બીજાં શિલ્પો જોઇને છક થઇ જાય છે. મુરુડેશ્વર, ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. 


Murudeshwar Mahadev Temple




⇛   મુરુદેશ્વર મંદિર-કર્ણાટક, ભગવાન શિવનો મહિમા :
ગોપુરમમાંથી મદિર સંકુલમાં પેઠા પછી મુખ્ય મંદિર આવે છે. એમાં મુરુદેશ્વર ભગવાન બિરાજે છે. કહે છે કે લંકાનો રાજા રાવણ, શીવજીને પ્રસન્ન કરી, તેમની પાસેથી આત્મ લીંગ મેળવી, લંકા પાછો ફરી રહ્યો હતો ત્યારે લીંગનો એક ટુકડો અહીં રહી ગયો હતો. લીંગનો આ ટુકડો અત્યારે પણ મંદિરમાં મોજુદ છે અને તે જમીન પર બે ફૂટ ઉંડા ખાડામાં રાખેલું છે. જે ભક્તો ખાસ પૂજા જેવી કે અભિષેક, રુદ્રાભિષેક, રથોત્સવ વગેરે કરે છે, તેમને, પૂજારી ગર્ભગૃહમાં ખાડાની નજીક ઉભા રાખી, તેલના દીવાના અજવાળે લીંગનાં દર્શન કરાવે છે. બધા લોકો આ લીંગનાં દર્શન નથી કરી શકતા.

મંદિરનું શિખર ખૂબ જ શોભાયમાન છે. બહારથી આખું મંદિર સુધારીને સરસ બનાવ્યું છે, પણ અંદરનું ગર્ભગૃહ અને રચના જૂની સ્ટાઈલ પ્રમાણેનાં જ જાળવી રાખ્યાં છે.

મુરુદેશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી સૌથી વધુ આકર્ષણ શિવજીના સ્ટેચ્યુનું છે. આ સ્ટેચ્યુ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીં નજીકથી તો તે ઘણું જ મોટું લાગે છે. વ્યાઘ્રચર્મ પર બિરાજેલા શિવજી, હાથમાં ડમરું અને ત્રિશુલ, ગળામાં નાગ, માથે જટા – એવી મૂર્તિને જોઈ દરેકના મનમાં ભક્તિભાવ પ્રગટે છે. બેઘડી જોયા જ કરવાનું મન થાય છે. સ્ટેચ્યુની સામે નંદી પોતાના સ્થાન પર શોભે છે. સ્ટેચ્યુની નીચે ગુફા છે, એમાં મંદિરના ઈતિહાસને લગતું એક મ્યુઝીયમ છે.


⇛   મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટક: મંદિરના અલગ અલગ બાજુથી HD કવોલીટીમાં અહીંયા નીચે આપેલ લીંક પરથી નિહાળો.
💥  મુરુદેશ્વર મહાદેવ મંદિરની અદભુત ફોટોગ્રાફી.... (FULL HD) 🙏
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના આ ફોટો GIGAPIXEL કેમેરાથી પાડેલા છે.  બાજુ બદલતા ચારેબાજુના દર્શન કરી શકસો. ZOOM કરતા સાવ જીણી કોતરણી અને નકશી પણ ચોખ્ખી દેખાશે. 
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના રુબરુ દર્શન કરવા જશો તો પણ કલાકારીગરી આટલી ક્લિયર અને નજીકથી નહિ દેખાય.
⇛   Murudeshwar Mahadev Temple-Karnataka: See different sides of the temple in HD quality.



⇛   મુરુદેશ્વર મંદિરનીપૂજા-અર્ચનાનો સમય :
દર્શનનો સમય- સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
પૂજાનો સમય- સવારે 6-30 વાગ્યાથી સવારે 7-30 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
બપોરની પૂજાનો સમય- બપોરે 12-15 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે
દર્શનનો સમય- બપોરે 3 વાગ્યાથી રાતે 8-15 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
સાંજની પૂજાનો સમય- સાંજે 7-15 વાગ્યાથી 8-15 વાગ્યા સુધી


Murudeshwar Mahadev Temple




⇛   મુરુદેશ્વર મંદિરનું દૃશ્ય ખૂબ જ સુંદર છે
શિવજીનું આ સ્ટેચ્યુ તથા ગોપુરમ આર.એન.શેટ્ટી નામના એક વેપારી ભક્તે બનાવડાવ્યું છે. એને બનાવતાં બે વર્ષ લાગ્યાં છે અને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ એવી રીતે બનાવ્યું છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે અને તેનાથી તે ચમકે.

સ્ટેચ્યુના પાયા આગળ બીજાં બે મંદિર છે. એક છે રામેશ્વર લીંગ. અહીં પણ પૂજા થઇ શકે છે. બીજું શનેશ્વર મંદિર છે. મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. એમાં બીજાં ઘણાં સ્થાપત્યો છે. શીવજીની બીજી એક મૂર્તિ છે. એક જગાએ ઘોડા જોડેલો સૂર્ય ભગવાનનો રથ છે. બીજી એક જગાએ કૃષ્ણ ભગવાન સારથિ બનીને અર્જુનનો રથ હાંકે છે. આ ઉપરાંત પણ બીજા પ્રસંગોનાં શિલ્પો કંડારેલાં છે. પ્રવાસીઓને આ બધું ફરી ફરીને  જોવાની મજા આવે છે. મંદિરમાં ‘પ્રસાદ’ લેવાની વ્યવસ્થા છે. પછી જે ભેટ આપવી હોય તે આપી દેવાની. મંદિરની પાછળ એક કિલ્લો છે. કહે છે કે માયસોરના રાજા ટીપુ સુલતાને આ કિલ્લો સુધારાવ્યો હતો.

મંદિરની બાજુમાં જ દરિયો છે. અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે.એટલે અહીં રમવાનું અને ચાલવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.




⇛   મુરુદેશ્વર મંદિરે કેવી રીતે પહોંચવું ? 
હવાઈ માર્ગ(પ્લેન) દ્વારા:  મેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુરુદેશ્વરથી લગભગ 153 કિમી દૂર છે. આ દેશના બધા જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર પહોંચવા માટે એરપોર્ટથી ટેક્સી પણ મળી શકે છે.

રેલ માર્ગ દ્વારા: મુરુદેશ્વર રેલવે સ્ટેશન મેંગ્લોર અને મુંબઈ સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન મેંગ્લોર છે અને તે ભારતના બધા મુખ્ય શહેર સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મંદિર 2 કિમી દૂર છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મુરુદેશ્વર મંદિર બસ અને ઓટો-રિક્શા દ્વારા પહોંચી શકાય છે.

સડક માર્ગ દ્વારા: અંગત અને કર્ણાટક સરકારની બસ મુંબઈ, કોચ્ચિ અને બેંગલુરુ સાથે મુરુદેશ્વર માટે બસ સેવા મળી શકે છે. મુરુદેશ્વર એનએચ 17 પર આવેલું છે જે મુંબઈને કોચ્ચિ સાથે જોડે છે, બંને શહેરોની વચ્ચે નિયમિત બસ સેવા શરૂ રહે છે.


અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.

મુરુદેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુદેશ્વરથી ઉડુપી 100 કી.મી અને કારવાર 120 કી.મી. દૂર છે


જોગનો ધોધ જોવા જાવ ત્યારે મુરુડેશ્વરના શીવજીના દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહિ.


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

Recent Posts