JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/29/23

શુદ્ધ દેશી ઘી : A2 Natural Gir Cow Ghee | શુદ્ધ દેશી ઘી કરે છે દવાનું કામ | માત્ર 1 જ કોલ દ્વારા મેળવો દેશી શુદ્ધ ઘી


શુદ્ધ દેશી ઘી : A2 Natural Gir Cow Ghee | શુદ્ધ દેશી ઘી કરે છે દવાનું કામ | માત્ર 1 જ કોલ દ્વારા મેળવો દેશી શુદ્ધ ઘી 

A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee


કહેવાય છે ને કે... શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે અગણિત દવાનું કામ, રોજ કરો આટલું સેવન.


શુદ્ધ દેશી ઘી :
ઘી એ ગામડાના લોકોનો મહત્વનો આહાર છે અને હજુ પણ અમુક ગામડાના લોકોને ઘીનો‌‌ આહાર વધારે માફક આવે છે. તેથી તે વધુ તંદુરસ્ત પણ હોય છે. ગામડાના લોકો શુદ્ધ અને તાજુ ઘી ખાતા હોય છે. 
આજના સમયમાં ખાનપાનની વસ્તુઓમાં ખુબ જ ભેળસેળ આવવા લાગી છે. તો તેવામાં ઘણી વસ્તુઓ શુદ્ધ મળે તો તેના ભાવોમાં ખુબ જ વધારો હોય છે. તો આજે અમે તમને એક શુદ્ધ વસ્તુ વિશે જણાવશું. જેનું સેવન સામાન્યથી લઈને દરેક લોકો કરે છે. જેનો ઉપયોગ દરેક ઘરોમાં રોજ થાય છે. તેના સેવનને લઈને અમુક ફાયદા અને સેવન કરવાની પદ્ધતિ વિશે જણાવશું. પરંતુ શહેરમાં મળતું ઘી એ તાજુ કે શુદ્ધ હોતું નથી. જે આપણા  શરીરને નુકશાન કરે છે. તો શુદ્ધ દેશી ઘી તેમજ અહી આ આર્ટીકલમાં શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી મેળવવા માટે ની જાણકારી તેમજ સંપર્ક નંબર માટે આ લેખને અંત સુધી વાંચજો.

મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું શુદ્ધ દેશી ઘીના સેવન અને ફાયદા વિશે. દેશી અને ઘરનું બનેલ શુદ્ધ ગાયનું ઘી – સ્મૃતિ, યોગ્યતા, ઉર્જા, બળવીર્ય, ઓઝ, કફ અને વસાવર્ધક હોય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી વાત્ત, પિત્ત, તાવ અને વિષાણું યુક્ત પદાર્થોનું નાશક હોય છે.
ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.

પરંતુ આજકાલના હૃદયરોગના વિશેષજ્ઞોની સાથે સાથે મોટાપણા અને હૃદય રોગીઓનો સૌથી વધારે ગુસ્સો ઘી ઉપર ઉતરે છે. આપણા આયુર્વેદમાં ઘીને ઔષધી માનવામાં આવ્યું છે. ઘીથી આપણા પ્રાચીન સાત્વિક ખોરાકથી બધા જ દોષોનું નિવારણ આવે છે. વાત્ત અને પિત્તને શાંત કરવા માટે ઘી સર્વશ્રેષ્ઠ છે સાથે જ કફને પણ સંતુલિત કરે છે. ઘીનું સેવન કરવાથી ઉપયોગી ચરબી પ્રાપ્ત થાય છે, અને બિનજરૂરી ચરબી ઓછી થવા લાગે છે. શુદ્ધ ઘી લીવર અને રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે પણ જરૂરી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે ઘી ગાયનું અને શુદ્ધ ઘરે જ બનેલું હોય, તો વધારે પ્રભાવશાળી રહેશે.

ઘી તો પૌષ્ટિક આહાર છે. પરંતુ આજના યુગમાં દરેક લોકો ચીઝ તરફ દોરાઈ રહ્યા છે. આજથી  થોડા સમય પહેલા ચીઝ એ માત્ર વિદેશી કંપનીઓ બનાવતી હતી. પરંતુ આ વિદેશી કંપનીઓ  ભારતમાં ચીઝનું વેચાણ  કરવા માટે તેઓ એ ઘીને ચીઝ કરતા પણ વધુ ફેટવાળું જાહેર કર્યું. આમ કરવાથી તેમનું ચીઝ વધુ વેચાવા લાગ્યું અને ઘીનું મહત્વ ખુબ  ઘટી ગયું છે. આમ જોવા જઈએ તો ચીઝ કરતા ઘી  વધુ પૌષ્ટિક હોય છે તેમજ તેમાં ચીઝ કરતા ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો હવે તમે જ વિચારો કે ઘીનું સેવન ફાયદાકારક કે પછી ચીઝનું ?

અશુદ્ધ કે ભેળસેળયુક્ત ઘી એ આપણા શરીરને અને પૈસાનું નુકશાન કરે છે. બજારમાં અત્યારે એવા કેમિકલ્સ અને તત્વ આવ્યા છે કે જેને કોઈ સામાન્ય તેલમાં અથવા તો વેજીટેબલ ઘીમાં નાખીને પણ શુદ્ધ ઘી જેવો જ સ્વાદ અને સુગંધ આપી શકે છે. એવામાં આપણે શુદ્ધ ઘીની ઓળખ કરી શકતા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શુદ્ધ ઘી મેળવવા માટે વિશ્વાસ પાત્ર સ્થળ એટલે ગોપાલ ગીર ગૌ શાળાનું શુદ્ધ દેશી ઘી... 


ગોપાલ ગીર ગૌ શાળા :
ગોપાલ ગીર ગૌ શાળાના ગીર ગાયના શુદ્ધ A2 ઘીની વિશેષતાઓ :
  • A2 ગાયનું ઘી એ આરોગ્યનું પાવર હાઉસ બનાવવા માટે હજારો વર્ષોથી વપરાતી સ્થાપિત પદ્ધતિઓમાંથી બનાવેલ સુપરફૂડ છે.
  • હાથથી, શુદ્ધ દૂધયુક્ત, ધીમા મંથન, દેશી વલોળાથી બનાવેલ
  • નેચરલ ફાર્મ, ફ્રી રેન્જની સ્થાનિક ગાયની ઓલાદ, કુદરતી ફીડ.
  • દહીં (દહી) નો ઉપયોગ કરીને પરંપરાગત/વૈદિક બિલોના પદ્ધતિથી બનાવવામાં આવે છે, જે ક્રીમ (મલાઈ)માંથી બનાવેલ નથી
  • કોઈ જંતુનાશક નથી, કોઈ રસાયણો નથી, કોઈ હાનિકારક ઈન્જેક્શન નથી

અમે તમારા માટે લાવ્યા છીએ ગોપાલ ગીર ગૌ શાળાનું ગીર ગાયનું શુદ્ધ A2 ઘી :
         પરંપરાગત પદ્ધતિઓ મુજબ ભારતીય ઉપખંડમાં માત્ર સ્થાનિક જાતિની ગીર (આ ગાયોને તેમની પીઠ પરના મોટા ખૂંધ દ્વારા ઓળખી શકાય છે) ગાયોનું દૂધ દોહી, દૂધમાં મેરવળ(થોડી છાસ) નાખી તેનું દહીં બનાવવામાં આવે છે. આ દહીને વહેલી પરોઢે (સૂર્ય ઉગ્યા પહેલાનો સમય).દેશી વલોણા(અત્યારે આધુનિક સમય મુજબ મોટરના વલોણા) દ્વારા દહીને વલોવવામાં આવે છે. થોડી સામાન્ય પ્રક્રિયા બાદ તેમાં માખણ(ઘી નો જ એક પ્રકાર) ઉપર તારી આવે છે, માખણને ઉપરથી એક્ત્રકરી લેવામાં આવે છે. ત્યારબાદ છાસ બાકી રહે છે. તમામ માખણ એકત્ર કરી પછી તેને કડાઈ(એક પ્રકારનું વાસણ) માં ધીમા તાપે ઉકાળવામાં આવે છે, યોગ્ય તાપમાને ઠંડુ કરીને ઘી બનાવવામાં આવે છે. હવે આ ઘી ને સારીરીતે ગાળી(ફિલ્ટર) કરી, વપરાશ માટે સુંદર કાચની બોટલોમાં પેક કરીને બરણીમાં ભરાય છે. આ તૈયાર થયેલ શુદ્ધ ઘી માં ઉત્તમ સ્વાદ, રંગ, સુગંધ અને રચના બને છે.

Pure & Natural Ghee: અમારું ગીર ગૌ શાળાનું A-2 ઘી સજીવ રીતે ઉછરેલી ગીર ગાયમાંથી બનાવવામાં આવે છે, જે તંદુરસ્ત પસંદગી માટે શુદ્ધતા અને ગુણવત્તાની ખાતરી આપે છે.

Environmentally Conscious: અમારી ગીર ગાયો જમીન માટે કુદરતી ખાતર પ્રદાન કરીને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પર્યાવરણને લાભ આપે છે, અમારા A-2 ઘીને પર્યાવરણને અનુકૂળ પસંદગી બનાવે છે.

અમે ગુજરાત કચ્છમાં ગીર ગાયો માંથી ઉચ્ચ ગુણવત્તાની A2 ઘીનું ઉત્પાદન કરીએ છીએ. આનો અર્થ એ છે કે આપણા ઘીમાં A-1 દૂધ નથી.

આપણી ગીર ગાયો તેમની મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે ઉનાળામાં 45 થી 50 ડિગ્રી અને શિયાળામાં 0 થી 4 ડિગ્રી સહન કરી શકે છે. આ સુનિશ્ચિત કરે છે કે અમે અમારા ગ્રાહકો માટે માત્ર શુદ્ધ અને કુદરતી ઘીનું ઉત્પાદન કરીએ છીએ. અમે ઉચ્ચ ગુણવત્તા માટે પ્રયત્નશીલ છીએ જેથી અમારા ગ્રાહકો બજારમાં સૌથી વધુ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવી શકે. અમે ઇચ્છીએ છીએ કે તમે તંદુરસ્ત આહારના ઉકેલોના પ્રદાતા તરીકે અમારા પર વિશ્વાસ કરો જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે.

ગોપાલ ગીર ગૌ શાળા, પત્રી, ખાતે અમે ભારતની આગામી પેઢીને ગીર ગાયો દ્વારા પૂરા પાડવામાં આવેલ A2 દૂધમાંથી બનાવેલ ઘીનો શુદ્ધ સ્ત્રોત પૂરો પાડીને તેમને સ્માર્ટ, સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અભિગમ સાથે, તમે તંદુરસ્ત આહાર ઉકેલોના તમારા ગો-ટૂ પ્રદાતા તરીકે અમારા પર વિશ્વાસ કરી શકો છો અને વિશ્વાસપૂર્વક ખાઓ છો તે જાણીને કે તમે માત્ર શ્રેષ્ઠ જ મેળવી રહ્યા છો!

વધારાની માહિતી(Additional information) :
ઘી ના પ્રકાર :  એક જ જાતિની ગીર ગાયમાંથી શુદ્ધ A2 ઘી
મૂળ :  ગુજરાત, કચ્છમાં ઓર્ગેનિક ફાર્મ



A2 Natural Gir Cow Ghee
પ્રતિકાત્મક તસ્વિર


A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee-1

A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee-2


A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee-3


A2 Natural Gir Cow Ghee-4
A2 Natural Gir Cow Ghee-4



ઓર્ગેનિક ખેતી માટે ખાસ....
ઓર્ગેનિક ખેતી માટે તમે જો ગૌ-મૂત્રનો વપરાશ કરતા હોવ તો  ગૌ-મૂત્રનું પણ વિતરણ વ્યાજબી ભાવે કરવામાં આવે છે.

સરનામું :
ગોપાલ ગીર ગૌ શાળા
ગામ: પત્રી
તાલુકો: મુન્દ્રા
જિલ્લો: કચ્છ. 

નારણભાઈ આહીર 
મોબાઈલ: 98254 48876


A2 Natural Gir Cow Ghee-5
A2 Natural Gir Cow Ghee-5














ગીર ગાયનું શુદ્ધ દેશી FSSAI દ્વારા પ્રમાણિત શુદ્ધ ઘી.
ગોપાલ ગીર ગૌ શાળાની ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી મેળવવા સંપર્ક કરો.
A2 Natural Gir Cow Ghee


ગીર ગાયનું શુદ્ધ દેશી મેળવવા સંપર્ક કરો :
ગોપાલ ગીર ગૌ શાળા
ગામ: પત્રી
તાલુકો: મુન્દ્રા
જિલ્લો: કચ્છ.

નારણભાઈ આહીર 
Mo : 98254 48876

કુરિયર સર્વિસ ઉપલબ્ધ


A2 Natural Gir Cow Ghee-6
A2 Natural Gir Cow Ghee-6


A2 Natural Gir Cow Ghee-7
A2 Natural Gir Cow Ghee-7






ગોસેવાનું માહાત્‍મ્‍ય !
આ સર્વ લાભ ધ્‍યાનમાં લઈને તમે જો એક ગોમાતાનું પોષણ કરી શકતા હોવ, તો તમારા ઘરમાં તે અવશ્‍ય પાળવી. ગોમાતાની સેવાથી સર્વ પુણ્‍ય અર્જિત કરવું. ગોસેવાના માહાત્‍મ્‍યની ચર્ચા કરતી વેળાએ કહેવામાં આવ્‍યું છે,…….

तीर्थस्नानेषु यत्‍पुण्‍यं यत्‍पुण्‍यं विप्रभोजने ।
सर्वव्रतोपवासेषु सर्वेष्‍वेव तपःसु च ॥

यत्‍पुण्‍यं च महादाने यत्‍पुण्‍यं हरिसेवने ।
भुवः पर्यटने यत्तु वेदवाक्‍येषु यद्भवेत् ॥

यत्‍पुण्‍यं सर्वयज्ञेषु दीक्षया च लभेन्‍नरः ।
तत्‍पुण्‍यं लभते सद्यो गोभ्‍यो दत्त्वा तृणानि च ॥

– બ્રહ્મવૈવર્તપુરાણ, ખંડ ૪, અધ્‍યાય ૨૧, શ્‍લોક ૮૮ થી ૯૦

અર્થ : જે પુણ્‍ય તીર્થસ્‍નાનમાં છે, જે પુણ્‍ય બ્રાહ્મણભોજન કરાવવામાં છે, જે પુણ્‍ય વ્રતો, ઉપવાસ અને તપસ્‍યા દ્વારા પ્રાપ્‍ત થાય છે, જે પુણ્‍ય શ્રેષ્‍ઠ દાન આપવામાં છે અને જે પુણ્‍ય શ્રીહરિની અર્ચનામાં છે, પૃથ્‍વીની પ્રદક્ષિણા ફરીને વેદવાક્યોનો પાઠ કરવાથી જે પુણ્‍ય મળે છે, તેમજ યજ્ઞની દીક્ષા લેવાથી જે પુણ્‍ય પ્રાપ્‍ત થાય છે; તે પુણ્‍ય તો કેવળ ગોમાતાને ચારો આપવાથી ત્‍વરિત પ્રાપ્‍ત થાય છે.’


ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.

નાકમાં ગાયનું શુદ્ધ ઘી નાખવાથી થાય છે ચમત્કારી ફાયદા

દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

1. ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.

2. દેશી ઘીમાં એન્ટી કેન્સર, એન્ટી વાયરલ ગુણ હોય છે. બાળકો,વૃદ્ધ કે દવાન દરેક લોકો માટે દેશી ઘી ફાયદાકારક માનવામાં આવે છે. તેમા રહેલા વિટામીન અને પોષક તત્વલ હાડકાને મજબૂત બનાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

3. જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે, તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.

4. માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.

5. તે સિવાય ગાયનું ઘી નાકમાં નાખવાથી ત્વચા પર એલર્જી થવાની સમસ્યા થી છૂટકારો મળે છે.

6. ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.

7. શરીરમાં રહેલી કમજોરી દૂર કરવા માટે દૂધની અંદર ગાયનું દેશી ઘી મિક્સ કરીને પીવું જોઇએ.

8. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ.

9. નાકમાં ગાયનું ઘી નાખવાથી યાદ રાખવાની ક્ષમતા સારી બને છે અને યાદ શક્તિ પણ વધે છે.

10. ગાયનું ઘી નાકમાં નાખીને પણ કોમામાં ગઈ વ્યક્તિ કોમામાંથી બહાર આવી શકે છે અને ચેતનામાં પાછો આવી શકે છે.

11. નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે.

12. જ્યારે હાથમાં પગના તળિયામાં બળતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસા ના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે.

13. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે.

14. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી, તો પછી ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત બને છે.





અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી A2 Natural Gir Cow Ghee ની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on June  28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

6/28/23

આભા કાર્ડ(ABHA CARD) : આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) શું છે? | આભા કાર્ડ ના ફાયદા

આભા કાર્ડ(ABHA CARD) : આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) શું છે? | આભા કાર્ડ ના ફાયદા
આભા કાર્ડ(ABHA CARD)
આભા કાર્ડ(ABHA CARD)



આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA :
પ્રિય વાંચકો, ભારત સરકાર એ ભારતના નાગરીકો માટે અનેક હિતકારી યોજનાઓ લઈને આવે છે. આ યોજનાઓમાં જેવીકે... મહિલાઓના સશક્તિકરણ, દરેક વયના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ બધા પર ભાર મૂકવામાં આવ્યો છે. મા અમૃતમ કાર્ડ, આયુષ્માન ભારત સરકારી કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે અમલી બનાવેલ છે. તેને Digital Health ID Card તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો... ! આજના આ આર્ટિકલમાં આપણે એમાંની એક યોજના એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA Card) શું છે? ABHA Card ના ફાયદા શું છે? દરેક પર વિગતવાર ચર્ચા કરીશું.
સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત Ayushman Bharat Health Card બનાવ્યા છે.  આ મિશન હેઠળ હેલ્થકેર સેક્ટરમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે કહ્યું કે આનાથી લોકોને સીધો ફાયદો થશે અને તેમના જીવનમાં પરિવર્તન આવશે. આ માટે આરોગ્ય વિભાગને સંપૂર્ણ રીતે ડિજીટલ કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ મિશનમાં 40 થી વધુ ડિજિટલ આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
        ડૉક્ટરની મુલાકાત લેતી વખતે તમારા ભૂતકાળના તમામ તબીબી અહેવાલો સાથે રાખવાનું મુશ્કેલ હોઈ શકે છે.  જો તમે તમારી બધી તબીબી માહિતી તેના બદલે ડિજિટલી સંગ્રહિત કરી હોત તો શું તે ઘણું સરળ ન હોત?  આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે "આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ" (ABHA) આભા કાર્ડ તરીકે ઓળખાતું ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ લોન્ચ કર્યું. આભા કાર્ડ શું છે અને તેના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી માટે આગળ આ આર્ટીકલમાં વાંચો.

આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA CARD :
આર્ટીકલનું નામઆભા કાર્ડ (ABHA Card), હમણાં જ આવેદન કરો
યોજનાનું નામઆયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ
કોના દ્વારા શરૂ કરવામાં આવીMinistry of Health and Family Welfare
અરજી ફીનિશુલ્ક
જરૂરી દસ્તાવેજોઆધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ
એપ્લિકેશનABHA app
ABHA એપ્લિકેશન Click Here
ઓફિશિયલ વેબસાઈટhealthid.ndhm.gov.in
વોટ્સએપ ગુપમાં જોડાવા :Click Here
ટેલીગ્રામ ચેનલ પર જોડાઓ :Click Here
હોમપેજ :Click Here


આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA CARD શું છે ?
ભારત સરકારનું આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (આભા કાર્ડ) હેલ્થ આઈડી શું છે? તેના વિષે થોડું જાણી લઈએ.
આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) 27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (ABDM)ની શરૂઆત કરી.  આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો જે નાગરિકના તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે.  આ ID એ 14-અંકનો ઓળખ નંબર છે, જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકો છો. 



આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA કાર્ડ શા માટે બનાવવા જરૂરરી છે?
જ્યારે પણ તમે હોસ્પિટલની મુલાકાત લો ત્યારે તમારી સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાથી મુશ્કેલી થઈ શકે છે. તમારા તબીબી ઇતિહાસનો ટ્રૅક રાખવો પણ પડકારજનક બની શકે છે. ABHA ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તમારી તમામ તબીબી માહિતીને એક જગ્યાએ સંગ્રહિત કરીને આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. તેથી, તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરી શકો છો અને તેઓ તરત જ તમારી તબીબી માહિતી જોઈ શકે છે.


આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA કાર્ડ ના લાભો :
જો તમે ABHA હેલ્થ આઈડી કાર્ડ માટેની અરજી કરી ડાઉનલોડ કરો તો તમે પણ નીચેના લાભો મેળવી શકો છો.
  • તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો વગેરે તમે સરળતાથી જાણી શકો છો.
  • તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો સાથે સરળતાથી શેર કરી શકો છો.
  • તમે બીજા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો.
  • તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) ને ઉપયોગ કરી શકો છો કેજે, ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન છે.
  • તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીને પણ ઉપયોગ કરી શકો છો કે, જે ભારતમાં તમામ સરકારી અને ખાનગી તબીબી સુવિધાઓની લીસ્ટ છે.
  • આ કાર્ડમાં આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે. સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો પણ સમાવેશ થાય છે.


આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA હેલ્થ આઈડી કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?
પ્રાથમિક રીતે, તમે ABHA હેલ્થ આઈડી કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી કરી શકો છો તે બે રીત છે. એટલે કે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા.  ચાલો આ બંને પદ્ધતિઓની ટૂંકમાં ચર્ચા કરીએ.

આધારકાર્ડ દ્વારા :
તમે ABHA હેલ્થ ID માટે નોંધણી કરાવવા માટે તમારા આધારનો ઉપયોગ કરી શકો છો, જો તે તમારા મોબાઇલ નંબર સાથે લિંક થયેલ હોય. OTP પ્રમાણીકરણ માટે આ જરૂરી છે. જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થયેલો નથી, તો તમે ABDM સહભાગી સુવિધાની મદદ લઈ શકો છો.

ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા :
જો તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરો છો, તો તમે ફક્ત એબીડીએમ પોર્ટલ પરથી નોંધણી નંબર મેળવશો.  તે પછી, તમારે તમારી ઓળખ ચકાસવા માટે તમારા ડ્રાઇવિંગ લાયસન્સને નજીકના એબીડીએમ સહભાગી સુવિધામાં લઈ જવું પડશે.  એકવાર તે પૂર્ણ થઈ ગયા પછી, તમારું ABHA હેલ્થ આઈડી જનરેટ થશે.


ABHA | આભા કાર્ડ(ABHA CARD) | What is ABHA Card in Gujarati | આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) | આભા કાર્ડ ના ફાયદા | ABHA Card Benefits Gujarati





આભા કાર્ડ(આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA CARD માટે જરૂરી દસ્તાવેજો :
ABHA રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન નોંધણી માટે સામાન્ય રીતે કોઈપણ ભૌતિક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોતી નથી.  જો કે, તમારે તમારું ABHA ID જનરેટ કરવા માટે નીચેની માહિતી દાખલ કરવાની જરૂર પડી શકે છે.

〘1〙મોબાઇલ નંબર
〘2〙આધાર નંબર
〘3〙પાન કાર્ડ
〘4〙ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)


આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર (હેલ્થ કાર્ડ ID) કેવી રીતે બનાવવું?
આપનું ABHA હેલ્થ આઈડી કાર્ડ આ રીતે ઓનલાઈન મેળવી શકાય છે.
〘2〙સત્તાવાર વેબસાઇટ (www.healthid.ndhm.gov.in) દ્વારા
〘3〙ABHA મોબાઇલ એપ્લિકેશન દ્વારા
〘4〙Paytm જેવી અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા
〘5〙કેટલાક આરોગ્ય કેન્દ્રો ઓનલાઈન નોંધણી માટે સુવિધાઓ અને સહાય પ્રદાન કરી શકે છે.

આભા કાર્ડ(ABHA CARD)  માટે હેલ્પ લાઈન નંબર :
જો આભા કાર્ડ(ABHA CARD) બનાવવા માટે આપને કોઈપણ મુશ્કેલી જણાતી હોઈ અથવા તો અન્ય કોઈપણ પ્રશ્નોત્તરી હોઈ તો આપ આપના નજીક નાં આરોગ્ય કચેરી મા જઈ ને આરોગ્ય કર્મચારીઓ પાસે થી વધુ માહિતી મેળવી શકો છો અથવા તો આપ નીચે આપેલ આભા ટોલ ફ્રી નંબર પર ફોન કરી ને વઘુ માહિતી જાણી શકો છો.
Toll-Free Number: 1800114477 | 14477


મહત્વની લીંક :






આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) - ABHA CARD માટે જરૂરી દસ્તાવેજો 
આભા કાર્ડ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) ને લગતા FAQ :

〘1〙આભા કાર્ડ(ABHA CARD)નું પૂરું નામ શું છે?
Ans. ABHA નું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) છે.

〘2〙 આભા કાર્ડ(ABHA CARD) નંબર શું છે?
Ans. ABHA નંબર એ 14-અંકનો ઓળખ નંબર છે અને તે આધાર કાર્ડ અથવા તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને જનરેટ કરી શકાય છે. તે વપરાશકર્તાઓને તેમના આરોગ્ય રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, વીમા પ્રદાતાઓ અને અન્ય લોકો સાથે ડિજિટલ રીતે શેર કરવાની મંજૂરી આપે છે.

〘3〙 ABHA Health ID Card એકાઉન્ટ શું છે?
Ans. ABHA ID અથવા ABHA કાર્ડ એ તમારા સ્વાસ્થ્ય માટે એક અનોખી ઓળખ છે જે તમને તમારી સંમતિથી આરોગ્ય સેવા પ્રદાતાઓ પાસેથી તબીબી રેકોર્ડ્સ પ્રાપ્ત કરવા, સંગ્રહિત કરવા અને શેર કરવા માટે આરોગ્ય લોકરની સુવિધા આપે છે.

〘4〙આભા કાર્ડ(ABHA CARD) સેના માટે ઉપયોગ મા લેવામાં આવે છે ?
Ans. આ કાર્ડ વ્યક્તિ નાં આરોગ્ય નાં તમામ રેકોર્ડ રાખશે.એટલે કે હવે થી તમારે કોઈપણ દવાખાના જાવ તો ત્યાં તમારા જૂના દવખાના નાં કાગળો સાથે રાખવાના નથી.ફક્ત આ કાર્ડ જ સાથે રાખવાનુ જેમાં તમારા આરોગ્ય ની તમામ માહિતી હશે.

〘5〙આભા કાર્ડ(ABHA CARD) મેળવવા માટે સરકારના ક્યાં વિભાગમા જવાનું હોઈ છે ?
Ans. જો તમને તમારી રીતે આભા કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો તમે તમારા નજીક નાં સરકારી દવાખાના માં જઈ ને પણ મેળવી શકો છો.





અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં આભા કાર્ડ(ABHA CARD) આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on June  28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના | ગુજરાત રાજ્યમાં વિધવા બહેનો માટેની યોજના |Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online


ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના | ગુજરાત રાજ્યમાં વિધવા બહેનો માટેની યોજના |Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના



રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં... વ્હાલી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા ગુજરાત રાજ્યની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલેકે વિધવા પેન્શન સહાય યોજના વિશે માહિતી મેળવીશું.


ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાની હેતુ :
સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. આ યોજના દ્વારા ગુજરાતની બધી વિધવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે, અને તે આત્મનિર્ભર બની શકે તેમજ તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે. આ યોજના જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.



ગુજરાત ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના :
આ યોજનાનું નામગંગા સ્વરૂપા/વિધવા આર્થિક યોજનાની માહિતી
Vidhva Sahay Yojana Form નો હેતુસમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી.
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાનિરાધાર વિધવા લાભાર્થીઓ કે,
જે આવક મર્યાદામાં આવતા હોય
Ganga swarupa/Vidhva Sahay Yojana Benefitsવિધવા લાભાર્થીઓને દર મહિને
રૂપિયા 1250 ની સહાય મળશે.
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
Yojana Online apply GujaratDigital Gujarat Portal દ્વારા
ઓનલાઈન અરજી કરી શકાશે.
Yojana Gujarat Helpline Number155209
Digital Gujarat Portal Helpline18002335500
યોજના ફોર્મ pdfડાઉનલોડ કરો.
વોટ્સએપ ગુપમાં જોડાવા :Click Here
ટેલીગ્રામ ચેનલ પર જોડાઓ :Click Here
હોમપેજ :Click Here


ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના જરૂરી ડોક્યુમેન્ટ:
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.

1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
2. આધારકાર્ડ
3. રેશનકાર્ડની નકલ
4. આવક અંગેનો દાખલો
5. વિધવા હોવા અંગેનો દાખલો
6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
7. અરજદારની ઉંમર અંગેના પુરાવા
8. બેંક ખાતાની નકલ




#ગંગા સ્વરૂપા યોજના
#Apply Online
#વિધવા આર્થિક સહાય યોજના
#ગંગા સ્વરૂપા યોજના ફોર્મ pdf
#Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat 
#Vidhva Arthik Sahay Yojana Gujarat 



ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા :
વિધવા સહાય યોજના ફોર્મનું ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.

વિધવા લાભાર્થીઓ સૌ પ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.


ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના હેલ્પલાઈન(Helpline) :
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાનું ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. 

Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.





ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે. જેમાં Indira Gandhi National Widow Pension Scheme(IGNWPS) માં BPL કાર્ડ ધરાવતા લાભાર્થીઓ અરજી કરી શકે છે. અને Destitute Widow Pension Scheme(DWPS) માં કોઈપણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે. જે અરજી ફોર્મ નીચે મુજબ છે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.


મહત્વની લીંક :
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના(DWPS) ફોર્મ Download
ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ(IGNWPS) ફોર્મ Download
ઓફિસિયલ વેબસાઈટ અહી ક્લિક કરો.








ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો :
ગંગા સ્વરૂપા/નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.

●  વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર     સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
●  વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.


ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના ફોર્મ ઓનલાઈન સ્ટેટસ ચેક :
ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા અરજીનું Status જાણી શકે છે. લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું Online Status પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર, નામ અને સેક્શન નંબર દ્વારા જાણી છે.
  • સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  • NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  • Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  • ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  • લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
  • Sanction Order No/Application No
  • Application Name
  • Mobile No.


ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના FAQ :
●  ગંગા સ્વરૂપા/વિધવા સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
Ans.  ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
●    Vidhva Sahay Yojana Income Limit કેટલી નક્કી કરવામાં આવેલી છે?
Ans. ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
   શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
●    Women And Child Development Department, Gujarat  ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Ans. WCD Gujarat ની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ છે.
●    Vidhva Sahay Yojana ની ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પરથી કરવાની હોય છે?
Ans. આ યોજનાની અરજી Digital Gujarat Portal પરથી ઓનલાઈન કરવાની રહેશે.
●    Vidhva Sahay Yojana Gujarat Helpline Number ક્યો છે?
Ans.  રાજ્ય કક્ષાએ વિધવા Vidhava Sahay Helpline Number જાહેર કરેલો છે. જેનો નંબર 155209 છે.
●    ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક કરવો.?
Ans. જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” એ સંપર્ક કરવાનો રહેશે. આ કચેરી દરેક જિલ્લાના કલેકટર ઓફિસ ખાતે આવેલી હોય છે.




અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on June  28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

Recent Posts