JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/30/23

URJAMUNI YOJNA : Adopt Gujarat Solar Rooftop Yojana under Urjamuni Yojana for Primary Teachers of the State.

URJAMUNI YOJNA : Adopt Gujarat Solar Rooftop Yojana under Urjamuni Yojana for Primary Teachers of the State.
URJAMUNI YOJNA-2023


ઊર્જામુનિ યોજના: રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની ઊર્જામુનિ યોજના અંતર્ગત ગુજરાત સોલાર રૂફટોપ યોજના અપનાવો.


ઊર્જામુનિ યોજના-2023 :
74માં પ્રજાસતાક દિવસ નિમિતે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની યોજના ઊર્જામુનિ યોજના. આ યોજના હેઠળ રાજ્યના પ્રાથમિક શિક્ષકો સોલાર રૂફટોપ યોજનાનો લાભ મેળવી શકાશે.
  ઊર્જામુનિ યોજના-2023 ની  સંપૂર્ણ જાણકારી અહીંયા આ આર્ટીકલમાં આપવામાં આવેલ છે. 


આ ઊર્જામુનિ યોજનાનો લાભ કોને મળશે ?
  • માત્ર ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકો (કાર્યરત કે નિવૃત)
  • તેમના કુટુંબીજનો / પરિવારજનો.


ઊર્જામુનિ યોજનાનો લાભ લેવા માટે શિક્ષકે શું કરવું?
સ્ટેપ-1 : અહિયાં આપેલ PDF ફાઈલમાં તેની જાણકારી આપેલ છે.  અહીંયા PDF ફાઈલમાં આપેલ ક્યુ આર(QR) કોડ સ્કેન કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવું.
અથવા 
નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી માહિતી મેળવવી શકો છો. 
સ્ટેપ-2 : ઓનલાઈન ફોર્મ બે માં જરૂરી ડોક્યુમેન્ટ જોડવા.
સ્ટેપ-3 : ફક્ત જીઈબી(GEB) મીટર બુકિંગ ચાર્જ ભરી આખી સોલર સિસ્ટમ બુક કરાવો. નોંધ જેનું સિલેક્શન ન થાય તેમના મીટરનો ચાર્જ બે દિવસમાં રિફંડ કરવામાં આવશે.


ઊર્જા મુનિ યોજનાની વિસ્તૃતમાં જાણકારી : અહીં ક્લિક કરો.



ઊર્જામુનિ યોજનાની વધુ માહિતી માટે અહીં આપેલ pdf સંપૂર્ણ વાંચવી. ઊર્જામુનિ યોજનાનો લાભ લેવા ઈચ્છુક શિક્ષક મિત્રોએ નીચેની લિંક ઉપર ક્લિક કરી સંપૂર્ણ વિગતો ભરી અરજી કરી શકે છે.


ગ્રીન એનર્જી પરિયોજના :
  1. પ્રધાનમંત્રીશ્રીએ  30મી જુલાઇએ ઐતિહાસિક પહેલ તરીકે ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરાવ્યો.
  2. આ યોજના પાછળ પાંચ વર્ષમાં રૂ. 3 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે.
  3. આ યોજનાનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે
  4. ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પરાકાષ્ઠાને અંકિત કરતી ગ્રાન્ડ ફિનાલેમાં પ્રધાનમંત્રી ભાગ લેશે.
  5. પ્રધાનમંત્રી રૂપિયા 5200 કરોડ કરતાં વધારે મૂલ્યની NTPCની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યું હતું.
  6. માનનીય પ્રધાનમંત્રીજીએ રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ  30મી જુલાઇના રોજ બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પરાકાષ્ઠાને અંકિત કરતી ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ ઉપરાંત, તેઓ NTPCની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને તેનો શિલાન્યાસ કર્યો. તેઓએ રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, સરકારે ઊર્જા ક્ષેત્રમાં સંખ્યાબંધ નવતર પહેલ હાથ ધરી છે. આ સુધારાઓના કારણે સૌના માટે પરવડે તેવી વીજળી ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ક્ષેત્રમાં પરિવર્તન લાવી શકાયું છે. અગાઉ વીજળીની પહોંચ ધરાવતા ન હતા તેવા લગભગ 18,000 ગામડાઓનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે તે બાબત છેવાડાના સ્થળ સુધી વીજળીની પહોંચ સુનિશ્ચિત કરવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઐતિહાસિક પહેલ તરીકે, પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ઊર્જા મંત્રાલયની મુખ્ય સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરાવ્યો. જેનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે. નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 સુધીના પાંચ વર્ષના સમય દરમિયાન આ યોજના પાછળ રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિતરણ માટેની માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ અને મજબૂતીકરણ માટે ડિસ્કોમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેના દ્વારા છેવટના ગ્રાહકોને પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ યોજના પરિચાલન કાર્યક્ષમતામાં સુધારો કરીને અને તમામ રાજ્ય-ક્ષેત્રના ડિસ્કોમ અને પાવર વિભાગોની નાણાકીય સ્થિરતા પૂરી પાડીને 2024-25 સુધીમાં સમગ્ર ભારતમાં 12-15%ના AT&C (એગ્રિગેટ ટેકનિકલ અને કોમર્શિયલ) નુકસાનમાં ઘટાડો કરવાનો અને અને ACS-ARR (એવરેજ કોસ્ટ ઓફ સપ્લાય - એવરેજ રેવન્યુ રીઅલાઇઝ્ડ) અંતરાયને ઘટાડીને શૂન્ય પર લાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીના હસ્તે NTPCની રૂપિયા 5200 કરોડથી વધુ મૂલ્યની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. અને શિલાન્યાસ પણ કરવામાં આવી. તેઓ તેલંગાણામાં 100 મેગાવૉટની રામાગુંદમ ફ્લોટિંગ સોલર પરિયોજના અને કેરળમાં 92 મેગાવૉટની કયામકુલમ ફ્લોટિંગ સોલર પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું. તેઓ રાજસ્થાનમાં 735 મેગાવૉટની નોખ સોલાર પરિયોજના, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પરિયોજના અને ગુજરાતમાં કુદરતી ગેસ સાથે કાવાસ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો.

રામાગુંદમ પરિયોજના ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સોલર PV પરિયોજના છે જેમાં 4.5 લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર PV મોડ્યૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કયામકુલમ પરિયોજના ભારતની બીજી સૌથી મોટી ફ્લોટિંગ સોલર PV પરિયોજના છે જેમાં પાણી પર તરતી 3 લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર PV પેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

રાજસ્થાનના જેસલમેરમાં નોખ ખાતેનો 735 મેગાવૉટની સોલાર PV પરિયોજના એ એક જ સ્થાને 1000 MWp સાથેની ભારતની સૌથી મોટી સ્થાનિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ આધારિત સોલાર પરિયોજના છે, જેમાં ટ્રેકર સિસ્ટમ સાથે હાઇ-વોટેજ બાયફેસિયલ PV મોડ્યૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે. લેહ, લદ્દાખ ખાતે શરૂ થનારી ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પરિયોજના એક પાયલોટ પ્રોજેક્ટ છે અને તેનો ઉદ્દેશ લેહ અને તેની આસપાસમાં પાંચ ફ્યુઅલ સેલ બસો દોડાવવાનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ ભારતમાં જાહેર ઉપયોગ માટે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહનોની પ્રથમ નિયુક્તિ હશે. NTPC કાવાસ ટાઉનશીપ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ એ ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પરિયોજના હશે જે કુદરતી ગેસના વપરાશમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીશ્રીએ આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલની પણ શરૂઆત કરશે જેનાથી રૂફટોપ સોલર પ્લાન્ટ્સના ઇન્સ્ટોલેશનનું ઑનલાઇન ટ્રેકિંગ કરી શકાશે, અરજીની નોંધણી કરવાથી લઇને પ્લાન્ટના ઇન્સ્ટોલેશન અને નિરીક્ષણ પછી રહેણાંક ગ્રાહકોના બેંક ખાતામાં સબસિડીની રકમ જમા થવા સુધીની પ્રગતિ જોઇ શકાશે.

 ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’નું આયોજન 25 થી 30 જુલાઇ દરમિયાન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં તેના આયોજન સાથે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં ઊર્જા ક્ષેત્રમાં થયેલા પરિવર્તનો અને આ ક્ષેત્રએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ તેમાં દર્શાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ નાગરિકોમાં જાગૃતિ ફેલાવીને અને વિવિધ ઊર્જા સંબંધિત સરકારી પહેલો, યોજનાઓ અને કાર્યક્રમોમાં તેમની સહભાગિતા દ્વારા તેમને સશક્ત બનાવવાનો છે.




ઊર્જામુનિ યોજના-2023 :
ઊર્જામુનિ યોજના આ યોજના ખાસ ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકો માટે જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિક્ષકો વ્યાજ રહિત સરળ હપ્તે સોલાર રૂફટોપ સિસ્ટમ વસાવી શકશે, તેમજ આ યોજનાનો લાભ લઇ વીજબીલથી કાયમી છુટકારો મેળવી શકશે. સાથે સાથે વધારાની બનેલી વીજળીને વેચીને નાંણા પણ કમાઈ શકશે. સોલર રૂફટોપ સિસ્ટમ એ બદલતા જતા નવા જમાનાની જરૂરિયાત છે. દરેક શિક્ષક મિત્રોને સરકારશ્રીની સબસીડીનો લાભ લઇ સોલર રૂફટોપ સિસ્ટમ વસાવવી હોય છે પરંતુ એકી સાથે મસમોટી રકમની સગવડતા ન કરી શકવાને કારણે હાલની સૌથી લોકપ્રિય યોજનાના લાભથી વંચિત રહે છે. વીજળીએ પાયાની જરૂરિયાત છે છતાં દિવસેને દિવસે વીજળીના વધતા જતા દરોથી આપણા શિક્ષક મિત્રોની ચિંતામાં વધારો થવા પામેલ છે. દરેક વ્યક્તિને અત્યાર સુધીમાં કોઈને કોઈ વખતે આ સિસ્ટમ વસાવા માટે વિચાર્યું જ હશે જ પરંતુ ઉપરોક્ત કારણોસર આ લોકપ્રિય યોજનાનો લાભ લઈ વીજળીના મોટા બીલથી કાયમી છુટકારો મેળવવાના સ્વપ્નને સાકાર કરી શકેલ નથી. જેથી ગુજરાત સરકાર આપની સૌ શિક્ષક મિત્રો સમક્ષ ઉર્જામુનિ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના માધ્યમથી સૌ શિક્ષક મિત્રો પોતાની ચિંતાઓ છોડી વ્યાજ રહિત સરળ હપ્તાથી આ સિસ્ટમ વસાવી શકશે.




નોંધ: પૂરતી ચકાસણી કરી પછી જ નાણાંકીય વ્યવહાર કરવો. અમે આવી કોઈ જાહેરાતની પુષ્ટિ કરતા નથી. જાતે ચકાસણી કરી પછી ફોર્મ ભરવું.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની ઊર્જામુનિ યોજના વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 30, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts