JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/25/23

Cultivation of Moong: Modern cultivation of Moong in a scientific manner | Then improved varieties.


Cultivation of Moong: Modern cultivation of Moong in a scientific manner | Then improved varieties.
Cultivation of Moong
મગની ખેતી



મગની ખેતી: મગની વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતી કરવી | મગ સુધારેલી જાતો. 


Cultivation of Moong: Modern cultivation of Moong in a scientific manner | Then improved varieties.


⇛  Cultivation of Mango:
      Mango is planted in an area of 2 to 2.5 lakh hectares in Kutch and Saurashtra in Gujarat. Black mung is cultivated in South Gujarat. Cultivation of summer mung bean is concentrated in central Gujarat in Panchmahal, Dahod, Vadodara, Kheda and Anand districts. Apart from this, summer mung is cultivated to a greater or lesser extent in South Gujarat as well. Mug is a very suitable leguminous crop as a stand-alone crop or intercrop. As mung is a short-term crop, it is very important in intensive cropping system. Where there is adequate irrigation system, mung bean crop is given priority in multidirectional cropping system.
      Mango crop is harvested in both monsoon and summer seasons. In monsoons, mainly in low rainfall and light soils and as an intercrop, relatively less production is obtained, whereas in summer season, due to adequate irrigation facilities and favorable climate, as well as less disease and pest infestation, the average yield is 1200 to 1500 kg. Production per hectare can be obtained.


⇛  મગની ખેતી:
        મગનું ગુજરાતમાં કચ્છ અને સૌરષ્ટ્રમાં 2 થી 2.5 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં કાળા મગનું વાવેતર થાય છે. ઉનાળુ મગનું વાવેતર મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદ જીલ્લાઓમાં વિશેષ થાય છે. તદ્ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં ઉનાળુ મગની ખેતી થાય છે. મગ એકલા પાક કે આંતરપાક તરીકે ખૂબ અનુકૂળ કઠોળ પાક છે. મગ ટૂંકાગાળાનો પાક હોવાથી ઘનિષ્ટ પાક પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. પૂરતા પ્રમાણમાં પિયતની વ્યવસ્થા હોય ત્યાં બહુલક્ષીય પાક પદ્ધતિમાં મગના પાકને અગ્રિમતા આપવામાં આવે છે.
      મગનો પાક ચોમાસુ અને ઉનાળુ એમ બન્ને ઋતુમાં લેવામાં આવે છે. ચોમાસામાં મુખ્યત્વે ઓછા વરસાદવાળા અને હલકી જમીનમાં તેમજ આંતરપાક તરીકે લેવામાં આવતો હોવાથી પ્રમાણમાં ઉત્પાદન ઓછું મળે છે જ્યારે ઉનાળુ ઋતુમાં પિયતની પૂરતી સગવડતા હોવાથી અને વાતાવરણ અનુકુળતાની સાથે સાથે રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો આવતો હોવાથી સરેરાશ 1200 થી 1500 કિ.ગ્રા. પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય છે. 




⇛  મગની વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતીકરવા માટે અગત્યના મુદ્દાઓ :
⇒  જમીનની તૈયારી:  
ગોરાડું અને જે જમીનમાં સેંન્દીય તત્વ વધારે હોય તેવી જ્મીન મગનાં પાક માટે પસંદ કરવી. રેતાળ અને પી.એચ. આંક વધારે હોય અને જે જમીનમાં ગંઠવા ક્રુમિ (નેરેટોડસ) નો રોગ હોય તે જમીનમાં ઉનાળુ મગનો પાક સારો નથી થતો. ચોમાસું પાક્ની કાપણી કરી લિધા બાદ જ્મીનમાં હેક્ટરે 8 થી 10 ટન સારૂં કોહવાયેલું  છાણિયું ખાતર ભેળવીને બે થી ત્રણ હળની ખેડ જમીન તૈયાર કરવી. જેથી જ્મીનની ફળદ્રુપતા અને ભેજ સંગ્ર્હણ શકિતમાં વધારો થાય છે.


  વાવણી સમય: 
25 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન વાવેતર કરવાથી ઉત્પાદન સારૂં મળે છે.


⇒  વાવણી અંતરઃ  
બે ચાસ વચ્ચે 30 સે.મી અને બે છોડ વચ્ચે 10 સે.મી. અંતર રાખવું (10 દિવસે પારવણી કરવી અને ખાલા પૂરવા)


⇒  બીજનો દર અને જાતો :
એક હેકટર જમીનમાં વાવણીયાથી વાવેતર કરવા માટે 15 થી 20 કિલોગ્રામ બીજ પ્રતિ હેકટર અને પૂંખીને વાવવા માટે 20 થી 25 કિલોગ્રામ પ્રતિ હેકટર બીજની વાવણી કરવી.
મગની જાતો તેમજ પાકવાના દિવસો, દાણાનો રંગ, ઉત્પાદન
કિ.ગ્રા./ હે. શીંગ બેસવાનો પ્રકાર અને  ખાસિયતો...
➜ કે-851 મોઝેક રોગ સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 60 થી 65, દાણાનો રંગ-ચળકતો લીલો , ઉત્પાદન-1200 થી 1900 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો
➜ ગુજરાત-1 ભેજ્ના ખેંચ સામે ટકી શકે છે, પાક્વાના દિવસો 75 થી 80, દાણાનો રંગ-ચળકતો લીલો, ઉત્પાદન-800 થી 1000 કીગ્રા/હે, છુટી છવાઇ શીંગો
➜ ગુજરાત-2 ઉનાળુ/ચોમાસા માટે, પાક્વાના દિવસો 55 થી 60, દાણાનો રંગ-ચળકતો લીલો, ઉત્પાદન-800 થી 1000 કીગ્રા/હે, ઝુમખામાં શીંગો
➜ મગ ગુજરાત-3 બેક્ટેરીયલ બ્લાઇટ સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 65 થી 75, દાણાનો રંગ-ઘાટો લીલો, ઉત્પાદન-1200 થી 1400 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો
➜ મગ ગુજરાત-4 બેક્ટેરીયલ બ્લાઇટ સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 70 થી 75, દાણાનો રંગ-ઘાટો લીલો, ઉત્પાદન-1200 થી 1400 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો
➜ સાબરમતી પીળા પંચરંગિયા સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 55 થી 60, દાણાનો રંગ-આછો લીલો, ઉત્પાદન-1000 થી 1200 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો


⇛  મગના બીજ માવજતઃ
ફુગનાશક દવા થાયરમ/બાવીસ્ટીનનો 1.5 થી 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને દવાનો પટ આપવો.


⇛  રાઇઝોબિયમ: 
        રાઈઝોબિયમ કલ્ચર એ એક પ્રકારનું બાયો ફર્ટિલાઈઝર છે, જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. મગના પાક માટે ભલામણ કરવામાં આવેલ રાઈઝોબિયમ કલ્ચર મેળવી, ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ કલ્ચરની માવજત આપવી. કલ્ચરની માવજત આપવા માટે 5 મિ.લિ. પ્રતિ કિ.ગ્રા. બિયારણ દીઠ પટ આપવાની ભલામણ છે. વધુ ઉત્પાદન મેળવવા અને જ્મીનની ફળદ્રુપતા વધારવા માટે ફુગનાશક દવાનો પટ આપ્યા પછી બીજને રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપવી (200 થી 250 ગ્રામ જી.એમ.બી.એસ.-1 પ્રતિ 8 થી 10 કિલો બીજ પ્રમાણે પટ આપવો.) 
        કઠોળ પાકના મૂળમાં વાવણી પછી 20 થી 25 દિવસે રાઈઝોબિયમ જીવાણુ મારફત મૂળચંડિકાઓ બનવાની શરૂઆત થાય છે. આ ગ્રંડિકાઓ દ્વારા હવામાં રહેલ નાઈટ્રોજન રાઈઝોબિયમ જીવાણુ મારફત છોડનું ખોરાક માટે જરૂરી નાઈટ્રોજનમાં રૂપાંતર અને સ્થાયીકરણ થાય છે. પરિણામે છોડની વૃદ્ધિ અને વિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે.




⇛  રાસાયણિક ખાતરઃ
મગના પાકને 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફ્રરસ ચાસમાં ઓરીને આપવું. સલ્ફ્રરની ઉણપ હોય તેવી જમીનમાં 20 કિલોગ્રામ સલ્ફર આપવું.


⇛  મગના પાકમાં નિંદામણ નિયંત્રણ અને આંતર ખેડઃ
      છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં રહેલા જરૂરી પોષક તત્વો અને ભેજ તેમજ હવામાં રહેલ નાઈટ્રોજન, પ્રાણવાયુ અને અંગારવાયુ તેમજ પ્રકાશનું નિંદામણ દ્વારા બિનજરૂરી શોષણ ન થાય તે માટે પાકને પ્રથમ 30 દિવસ સુધી  નિંદણમુક્ત રાખવો જોઈએ, જેથી પાક સાથેની નિંદણ હરિફાઈથી પાકને બચાવી શકાય છે. આ માટે પાકમાં આંતરખેડ કરી ત્યારબાદ એક થી બે નિંદામણ મજૂરો દ્વારા કરાવવા જોઈએ.
      મજૂરોની અછત હોય ત્યારે અને હાથ વડે અથવા આંતરખેડ વડે નિંદામણ શક્ય ન હોય તો હેક્ટરે 1.5  કિલો પેડીમિથાલીન નીંદણનાશક દવા વાવેતર કર્યા પછી અને બીજના ઉગાવા પહેલા 50 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નિંદણ નિયંત્રણ સારી રીતે થઈ શકે છે.


⇛  મગના પાકમાં પિયતઃ
મગનું વાવેતર ઓળવણ કર્યા પછી વરાપ થયેથી કરવું. પ્રથમ પિયત જમીનના પ્રમાણે ખેંચવા દઈને 25 થી 30 દિવસે ફૂલની શરૂઆત થયા પછી આપવું. જમીન હલકી હોય તો પ્રથમ 20 દિવસે અને ત્યાર પછી 10 થી 15 દિવસના અંતરે 4 થી 5 પિયતની જરૂર પડે છે. જો કોરાંટ (કોરવાણ કચ્છમાં ) માં વાવેતર કર્યું હોય તો પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ તરત જ અને ત્યારબાદ બીજું પિયત 5(પાંચ)માં દિવસે સારા ઉગાવા માટે આપવું. અને તે પછી 15 દિવસના અંતરે 4 થી 5 પિયત આપવાથી સારૂ ઉત્પાદન મળે છે.



⇛  મગના પાકમાં સંરક્ષણ :
➜ જીવાત:  આ પાકમાં ફુલ અવસ્થાની શરુઆત સમયે ચુસિયા પ્રકારની જીવાતો જેવીકે મોલોમાશી, સફેદ માખી કે લીલા તડ઼તડિયાનો ઉપ્દ્રવ જોવા મળે છે. આ માટે ડાઇમીથોએટ 0.03% અથવા ફોસ્ફામીડોન અથવા મિથાઇલ ઓડીમેટોન 0.04% પ્રમાણે પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. મગની શીંગો કોરી ખાનાર લીલી ઇયળનાં નિયંત્રણ માટે 0.07% એન્ડોસલ્ફાન કે મોનોક્રોટોફોસ 0.4% નું દ્રાવણ 1 થી 2 છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મળે છે.
➜ રોગ:  મગ સહિત મોટાભાગના પાકમાં પચરંગીયો રોગ જોવા મળે છે જે વિષાણુથી થતો રોગ છે. જેને સફેદ માખી ફેલાવતી હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત ઘણીવાર ભુકી છારો રોગ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે0.15% વેટેબલ ગંધક અથવા કાર્બેન્ડાઝીમ 0.25% ના દ્રાવણના 15 દિવસના અંતર ત્રણ છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.


⇛  કાપણીઃ
મગના પાકમાં છોડ પર મોટાભાગની શિંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારના સમયે એકથી બે વીણી કરવી. છેલ્લી વીણીની જરૂર ન હોય તો પાકની કાપણી કરી શિંગોને ખેતરમાં જ પાથરા કરીને સૂકાવા દેવી. ત્યારબાદ બળદથી અથવા થ્રેસરથી દાણા છૂટા પાડવા. દાણા સાફ કરી, ગ્રેડિંગ કરી, જંતુરહિત કોથળા અથવા કોઠીઓમાં ભરવા.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને મગની વૈજ્ઞાનિક ખેતી માટેની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 25, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts